________________
80% જૈન સનાતન વીતરાગ દર્શન દરેક સમયની સ્વતંત્રતાનો સ્વીકાર કરો, એવી જ રીતે પ્રત્યેક પુદ્ગલ પરમાણુને સ્વતંત્ર જુઓ, જાણો, માનો અને તેનું સ્વતંત્ર પરિણમન, તેનો સ્વીકાર કરો.
આવી દ્રવ્યની સ્વતંત્રતા એ જૈનદર્શનનું મૌલિક તત્ત્વ છે. આ મહાન સિદ્ધાંત છે. (૧૦) (અ) કર્મના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર :
જિનાગમમાં કર્મનું સ્વરૂપ સ્વતંત્ર રીતે બતાવવામાં આવ્યું છે. કર્મના અનંતપ્રકાર છે. તેમાં દ્રવ્યકર્મના મુખ્ય આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. એના અસ્તિત્વનો
સ્વીકાર કરવો. - આત્મામાં કર્મની “નાસ્તિ' છે. આત્મા અને કર્મ બંને સ્વતંત્ર દ્રવ્ય છે. એક ચેતન છે, એક જડ છે. બંને અનાદિના એક ક્ષેત્રાવગાહ સંબધે જોડાયેલા છે..
જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહિ અને જ્યાં પોતાની (આત્માની) સત્તા નથી ત્યાં આત્મા પણ કર્મનું શું કરી શકે? કર્મો આત્માના સુખ-દુઃખનું કારણ નથી. પોતાની અજ્ઞાન અવસ્થા એ જ દુઃખનું કારણ છે અને
પોતાના સ્વભાવના પુરુષાર્થથી એ અજ્ઞાન અવસ્થા ટાળી જ્ઞાન અવસ્થા પ્રગટ ક કરવાથી જીવને સુખની પ્રાપ્તિ થાય છે.
પોતે સ્વલક્ષે વિકાર કરી શકે નહિ, પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી તે વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી” આ દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત છે.
જ્યાં જીવને વિકાર ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્તરૂપે થનાર કર્મ હાજર જ હોય, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવ્યો છે. આત્મા અને કર્મ વચ્ચે કર્તા-કર્મ સંબંધ કોઈ પ્રકારે નથી. જ્યારે જીવની પૂર્ણ અવસ્થા પ્રગટ થાય છે ત્યારે સર્વ કર્મોનો સ્વયં નાશ થઈ જાય છે ત્યારે કર્મોનો નાશ કર્યો એમ ઉપચારથી કહેવામાં આવે છે. (બ) જીવની સ્વતંત્રતાઃ
જીવ એકલો આવ્યો, એકલો રહે છે, અને એકલો જાય છે, તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? એકલો જ દુઃખી થાય છે અને એકલો જ સુખી થઈ શકે છે. અજ્ઞાન અવસ્થામાં એકલો જ દુઃખનો અનુભવ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org