________________
9 ( જૈન સનાતન વીતરાગ દર્શન
જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ (મિથ્યાત્વ સાથે) છે તેટલો આસ્રવબંધ છે.
જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવલી ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરાપણ થતું નથી. તેમને રાગ-દ્વેષ નથી માટે બંધન નથી.
તેજ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય તો મોક્ષમાર્ગનું સાધન છે. કેવળજ્ઞાન દશા પ્રગટ થાય છે તેનું સાધ્ય છે અને અનંતજ્ઞાન સ્વરૂપ જે શક્તિથી ભરેલો જ્ઞાનસ્વભાવ છે તે તેનું ધ્યેય છે. તે ધ્યેયનું ધ્યાન કરતાં વર્તમાન જ્ઞાનની પર્યાય જેવો વીતરાગસ્વભાવ છે તે રૂપ થઈ
જાય છે, આનું જ નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને કેવળજ્ઞાન છે. (૯) દ્રવ્યની સ્વતંત્રતા : પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, એ પ્રત્યેક દ્રવ્યનો પ્રત્યેક ગુણ
સ્વતંત્ર છે. એક એક ગુણની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. એવી રીતે હું પણ એક સ્વતંત્ર દ્રવ્ય છું.” આ દ્રવ્યની સ્વતંત્રતા જાહેર કરે છે, “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ.” “હું કોઈને સુખી ન કરી શકું, મને કોઈ સુખી ન કરી શકે-હું કોઈને દુઃખી ન કરી શકું, મને કોઈ દુઃખી ન કરી શકે.” “હું એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહિ.” પ્રશ્નઃ બે જીવોને ૧૪૮ કર્યપ્રકારો સંબંધી સર્વ ભેદ-પ્રભેદોનાં પ્રકૃતિ-પ્રદેશ
સ્થિતિ-અનુભાગ બધું બરાબર એક સરખું હોય તો તે જીવો ઉતરવર્તી
ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્ન ભિન્ન પકારના? ઉત્તર : ભિન્ન ભિન્ન પ્રકારના પ્રશ્ન : બંને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખાં છે, તો
પછી ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના કેમ કરી શકે? ઉત્તર : “અકારણ પારિણામિક દ્રવ્ય છે? અર્થાત્ જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે.
આવી રીતે પ્રત્યેક દ્રવ્યને.... દરેક આત્માને ભિન્ન ભિન્ન જુઓ, તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org