________________
(૪)
છે જેને સનાતન વીતરાગ દર્શન -- --@(૩) નિર્વિકલ્પ દશા જ સુખસ્વરૂપ છે
આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ ભેદજ્ઞાનના અભ્યાસમાં પણ અંદર જ્ઞાનમાં પરમજ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર કાર્ય કરી રહ્યું છે અને તે સ્વભાવના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુ જીવ પ્રચંડ પુરુષાર્થથી – સહજ રીતે આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છેત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે શરૂઆતથી અંત સુધી ભેદવિકલ્પ વચ્ચે આવવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ' સ્વભાવ લક્ષે શ્રવણ – મનન – ચિંતન.. યથાર્થ નિર્ણય. સ્વરૂપ લક્ષે સાધના.......... સ્વાધ્યાય........ભેદજ્ઞાન સ્વધ્યેય લક્ષે ધ્યાન...આત્માનુભૂતિ......સુખની પ્રાપ્તિ મિથ્યાત્વના નાશનો ઉપાયઃ જે નિજ શુદ્ધ જ્ઞાયક વસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે (રુચિ, પ્રતીતિ, જિજ્ઞાસા, લક્ષ, એકાગ્રતા... અનુભવ). ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધવસ્તુમાં છે? – નથી; તો તે શુદ્ધ વસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધ વસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધવસ્તુ નથી. બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યકત્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું. આ મિથ્યાત્વ ટાળવાની રીત છે, દુઃખમાંથી છૂટવાની રીત છે. તે માટે સ્વભાવનું સામર્થ્ય આવવું જોઈએ. અંદર ચિદાનંદસ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ.
એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. (૫) દષ્ટિનો વિષય : સંયમના ભેદોમાં સંયમને ગોતવાથી સંયમની અવસ્થા પ્રગટે
નહિ, પણ હું આત્મા તો અભેદપણે વીતરાગ સ્વરૂપ જ છું, અનંતગુણોનો અભેદ પિંડ છું એવી અભેદ દૃષ્ટિના જોરે (સ્થિરતા વધતાં) સંયમાદિ વીતરાગી પર્યાય પ્રગટે છે. “અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહિ પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ (વીતરાગ સ્વરૂપ-સામ્યભાવસ્વરૂપ) જ છે એમ તેના ઉપર દૃષ્ટિ મૂકવાથી (સ્થિરતા થતાં)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org