SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સનાતન વીતરાગ દર્શન જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્ય સામાન્ય-જે સ્વાનુભૂતિનો આધાર છે. સમ્યગ્દર્શનનો આશ્રય છે. મોક્ષમાર્ગનું આલંબન છે. સર્વ શુદ્ધભાવોનો નાથ છે-તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે નિજ શુદ્ધાત્મદ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય આ જ છે. “આત્મા શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઈત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, તત્ત્વવિચારના રાગની જે વૃત્તિ ઊઠે છે તે પણ દુઃખદાયક છે, આકુળતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુતજ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, હું આવો છું, તેવો છું – એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, પર તરફના વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો કે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો, શ્રુતજ્ઞાનને (વર્તમાન જ્ઞાનની પર્યાયને) પણ આત્મસન્મુખ જે કરે છે, તે વખતે ભેદજ્ઞાનની જે ધારા અખંડરૂપે બે ઘડી વહે છે, તે જીવ કરણ લબ્ધિમાં પ્રવેશતા, અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત આત્માના પરમાનંદ સ્વરૂપ અમૃત રસને વેદે છે. આ છે સ્વાનુભૂતિની પ્રક્રિયા. એ જ જૈનશાસન છે. સુખનું સ્વરૂપ આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઈચ્છે છે અને તે સુખને માટે જ ઝાવી નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન ને સમ્યગ્વારિત્રરૂપ પરિણમન એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી; માટે હે જીવ! જ્યાં સુખ છે ત્યાં ડૂબકી મારીને તારી સુખ શક્તિને ઉછાળ-ઉછાળ !! એટલે કે તારી વર્તમાનજ્ઞાનની પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. (૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy