________________
16
જૈન સનાતન વીતરાગ દર્શન વરસુવિlળ સાર સિંક્ષિપ્ત)
–
સ્વાનુભૂતિઃ સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહુલામય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનધન પરમપદાર્થ-પરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યપણે દેખાતો-જણાતો-શ્રદ્ધાતો જ નથી. તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનની – ધર્મની - સુખની શરૂઆત જ થતી નથી. આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા આવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દૃઢ નિર્ણય કરવો. હું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય દઢ કરવામાં સહાયભૂત-પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અત્યંત જરૂરી છે, જરૂરી નહિ આવશ્યક જ છે, અનિવાર્ય છે. (૧) છ દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય – જીવના સામાન્ય અને વિશેષ ગુણ (૩) ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય - દ્રવ્યસ્વભાવ – પર્યાય સ્વભાવ (૪) ક્રમબદ્ધ પર્યાય – પાંચ સમવાય (૫) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા – સુખનું સ્વરૂપ (૬) નવ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ અને શ્રદ્ધાનું (૭) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ (૮) કર્મનો સિદ્ધાંત - જીવ અને કર્મની સત્તાનું ભિન્નપણું (૯) જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ (૧૦) પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ – ભેદજ્ઞાન (૧૧) વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થા (૧૨) નિશ્ચય અને વ્યવહાર ઈત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો-અભ્યાસ
હા
કરવો.
તીર્થકર ભગવંતોએ કહેલાં આવા અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસ માટે પાંચ પરમાગમનો અભ્યાસ કરવો. અને તેની સાથેસાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર-મુગટમણિ જે શુદ્ધ દ્રવ્યસામાન્ય અર્થાત્ પરમપરિણામિકભાવ એટલે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org