________________
જેને સનાતન વીતરાગ દર્શન મર્યાદામાં લાવીને, શ્રુતજ્ઞાન તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખા ય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, સકળ નિરાવરણ, અનંત વિજ્ઞાન ધન, પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને
જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે. (૧૨) ભાવાર્થ ? આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી
ઈન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયના વિકલ્પોને મટાડી, શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ “સમ્યગ્દર્શન' અને “સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org