SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 8 જ જેને સનાતન વીતરાગ દર્શન E----- અવલંબને પર્યાયમાંથી ક્રમે-ક્રમે સંકોચ ટળીને વિકાસ થતો જાય છે અને અલ્પકાળમાં પૂર્ણતા પ્રગટી જાય છે આજ એકવિધિ છે. (૮) પ્રશ્નઃ નિર્વિકલ્પદશા વખતે જે અંતર્મુખ જ્ઞાનઉપયોગ છે તે જ્ઞાનનું શેય જ્ઞાન છે કે આનંદ? ઉત્તર ઃ તે અંતર્મુખ ઉપયોગનું શેય આખો આત્મા છે; જ્ઞાન ને આનંદ બધું તેમાં અભેદ આવી જાય છે, તે જ્ઞાનમાં આનંદનું વેદના વ્યક્ત છે. (૯) પ્રશ્નઃ ભેદજ્ઞાન થયું ન હોય પણ તે પ્રયત્ન કરતો હોય તો તેના પરિણામ કેવા હોય? તેની રહેણીકરણી કેવી હોય? ઉત્તરઃ (૧) એના પરિણામમાં સત્સમાગમ અને સવિચાર ઘૂંટાતા હોય. (૨) આત્મા શું છે? સત્ શું છે? જ્ઞાની કેવા હોય? એવા પ્રકારના તત્ત્વના સદ્વિચાર હોય. (૩) પરિણામમાં પરની પ્રીતિનો રસ ઘણો મંદ થઈ જાય. ઘણી પાત્રતા (રૂચી), પ્રતીતિ અને જિજ્ઞાસા જોઈએ. (૪) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન જાગે, કુદેવ-કુગુરુ, તરફનું વલણ છૂટી જાય. . (૫) સ્વ-તરફ, સ્વસમ્મુખ ઝૂકવા જેવું છે – એમ નક્કી કરીને વારંવાર તેનો અંતર ઉદ્યમ કરે. (૬) અંદરમાં યથાર્થ તત્ત્વનું વારંવાર ધોલન કરતો હોય. (૭) અન્યાય, અનીતિ અને અભક્ષ્યના કલુષિત પરિણામ છૂટી જ ગયા હોય. આવો જીવ અંતર્મુખ થવાના વારંવારના અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરે છે. (૧૦) પ્રશ્નઃ એક સમયમાં રાગ અને વીતરાગતા બંને ભાવો સાથે હોય? ઉત્તરઃ હા, સાધકને અંશે રાગ અને અંશે વીતરાગતા એમ બંને ભાવો એકસાથે હોય છે. જેને સમ્યગ્દર્શન થયું ત્યાં અંશે શુદ્ધતા પ્રગટીને હજી સાધકને અશુદ્ધતાપણ છે, એ રીતે અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા એમ બંને ભાવો સાધકદશામાં એક સાથે હોય છે. તેમાં શુદ્ધતા તે સંવર-નિર્જરાનું કારણ છે અને અશુદ્ધતા તે આસ્રવબંધનું કારણ છે. જેટલી શુદ્ધતા છે તેટલી અંતર્મુખ પરિણતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy