________________
8 8 8 કી જૈન સનાતન વીતરાગ દર્શન 5 5 5 હોવા છતાં પરિણતિનો ઝુકાવ આત્મા તરફ જ વળી રહ્યો છે – એમ આ ઉપચાર બતાવે છે.
જીવને શુદ્ધનયનો-નિશ્ચયનયનો ‘પક્ષ’ પણ પૂર્વે કદી આવ્યો નથી – એમ કહીને તેમાં જે નિશ્ચયનયના પક્ષની પણ અપૂર્વતા બતાવી છે તે તો સ્વભાવ તરફ ઝૂકી રહેલા જીવની વાત છે. એકદમ નીકટમાં સમ્યગ્દર્શન પામવાની જેની તૈયારી છે, અને તે માટે સ્વભાવને લક્ષમાં લઈને તે તરફનું જોર કરી રહ્યો છે એવા જીવની તે દશાને પણ અપૂર્વ ગણી છે તેને નિશ્ચયનયનો પક્ષ ગણ્યો છે. પછી સ્વભાવ તરફના જોરને લીધે તરતમાં જ તેનો વિકલ્પ તૂટીને અંદરમાં ઉપયોગ થંભી જતાં સાક્ષાત્ નિશ્ચયનય થાય છે. તે વખતે નિર્વિકલ્પતા છે.
આ નિશ્ચયનયના ઉપયોગ વખતે આત્માના આનંદ સાથે જ્ઞાનની એકાકારતા થતાં અદ્ભૂત નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય છે... અહો ! નિર્વિકલ્પ દશાનો તે આનંદ વિકલ્પને ગોચર નથી – તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. (૬) પ્રશ્ન ઃ અનાદિના અજ્ઞાની જીવને સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ
હોય ને?
ઉત્તર ઃ ના, એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ-આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું.
અપૂર્વભાવે સ્વભાવને લક્ષગત કરીને, જેની પરિણતિ પહેલવહેલી જે શુદ્ધસ્વભાવના અનુભવ તરફ ઝૂકી રહી છે, જેને સમ્યગ્દર્શન પામવાની તૈયારી છે, એવા જીવની ખાસ પરિણતિનું અલૌકિક વર્ણન કરતાં એમ આવ્યું કે, ‘સ્વભાવનો લક્ષમાં લઈને તેના અનુભવના સંસ્કાર પાડી રહેલાં તે જીવને હજુ રાગ તો છે, વિકલ્પ છે, પણ તેનું જોર વિકલ્પ પર નથી જાતું, તેનું જોર અંતર સ્વભાવ તરફ જ જાય છે, એટલે તેની પરિણતિ સ્વભાવતરફ ઝૂકી જાય છે, ને રાગ તૂટીને નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે.
પહેલાં રાગ–વિકલ્પ હતો તેનું કાંઈ આ ફળ નથી, પણ અંદર સ્વભાવ તરફનું જોર હતું તેનું આ ફળ છે. જો કે તેનું આ ફળ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો તે
૪ ૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org