SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કે જેને સનાતન વીતરાગ દર્શન : એકવાર તો (નિર્વિકલ્પ અનુભૂતિ વખતે) સ્વ તરફનો ઉપયોગ થઈ ગયો છે. ત્યાર પછી ઉપયોગની સ્થિરતાનો અભ્યાસ શરૂ થાય છે. . ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયની ચોકડીનો અભાવ થઈ ગયો હોય છે અને મોટાભાગે પર તરફનો ઉપયોગ હોય છે. ક્યારેક ક્યારેક ઉપયોગ સ્વમાં થંભી જતાં નિર્વિકલ્પ આનંદની વિશિષ્ટ અનુભૂતિ થાય છે. ઉપયોગની સ્થિરતાનો અભ્યાસ વધતાં તે જીવ-શ્રાવકના બાર વ્રત અંગીકાર કરે છે, અપ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો અભાવ થાય છે અને ઉપયોગ સ્વમાં થોડા થોડા અંતરે થંભી જવાનો મહાવરો શરૂ થાય છે. ઉપયોગની સ્થિરતાનો વિશેષ અભ્યાસ વધતાં તે જીવ-મુનિના પાંચ મહાવ્રત અંગીકાર કરે છે, પ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો અભાવ થાય છે અને ઉપયોગ બહાર હોય ત્યારે માત્ર સંજ્વલ કષાય જ જોવા મળે છે. - છઠ્ઠા ગુણસ્થાને મુનિવરોને તો ઉપયોગ વારંવાર સ્વમાં વળ્યા કરે છે. એકસાથે અંતમુહુત કરતાં વધારે લાંબો કાળ તેમનો ઉપયોગ પરમાં રહેતો નથી. સાતમા અને ત્યાંથી આગળના ગુણસ્થાને તો ઉપયોગની સ્વમાં જ એકાગ્રતા હોય છે. મુનિદશામાં ઉપયોગ એક સાથે લાંબો કાળ સુધી સ્વમાં વિશેષ જામે-જો ઉપયોગ અંતમુહુત સ્વમાં અખંડધારાવાહી જામે તો શુક્લધ્યાનની શ્રેણી માંડીને તરત જ કેવળજ્ઞાન પામી જાય છે. પછી કોઈદિવસ ઉપયોગ બહાર આવતો જ નથી. (૫) પ્રશ્નઃ સવિકલ્પ દશામાં નિશ્ચયનય હોય? ઉત્તર : નિશ્ચયનયનો ઉપયોગ (શુદ્ધનય-શુદ્ધ ઉપયોગ) શુદ્ધ આત્માને જ ધ્યેય બનાવીને જ્યારે તેમાં થંભી જાય છે ત્યારે નિર્વિકલ્પતા જ થઈ જાય છે, એટલે ખરેખર તો નિશ્ચયનય વખતે નિર્વિકલ્પ દશા જ હોય છે. આમ છતાં, શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા ઉપયોગને સવિકલ્પ દશામાં પણ કોઈ કોઈ ઠેકાણે નિશ્ચયનય તરીકે કહેવામાં આવ્યો છે, ત્યાં તે ઉપયોગ શુદ્ધસ્વભાવ તરફ ઝૂકતો જાય છે. અને આગળ વધતાં વધતાં વિકલ્પ તોડીને, સ્વભાવના બળે અભેદ દ્રવ્યને પહોંચી વળશે ને નિર્વિકલ્પ અનુભૂતિમાં થંભી જશે. તે અપેક્ષાએ સવિકલ્પદશા વખતે પણ ઉપયોગને ઉપચારથી નિશ્ચયનય કહ્યો છે. સવિકલ્પતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy