________________
88 19 જેને સનાતન વીતરાગ દર્શન ----- સારભૂતઃ (૧) એકાગ્ર સંચેતન તે ધ્યાનનું લક્ષણ છે. અને ધ્રુવ આત્મસ્વભાવ તે
ધ્યાનનું ધ્યેય છે. વર્તમાન તરફ ઢળેલી જ્ઞાનની પર્યાય તે ધ્યાનનું સાધન છે. પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી તે ધ્યાનનું સાધ્ય છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વગર ધ્યાન હોઈ શકે નહિ. દરેક આત્મા સ્વતંત્ર છે, ધ્રુવ સ્વભાવથી આત્મા નિર્મળ છે, એક સમયની અવસ્થામાં વિકાર છે, ધ્રુવના અવલંબને તે વિકાર ટળીને અવિકારી પર્યાય પ્રગટ થઈ શકે છે એવું વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી બધા જ પડખાથી વસ્તુ સ્વરૂપને જાણે તેને જ ધુવસ્વભાવના અવલંબને
ભેદજ્ઞાનપૂર્વક આત્માનું ધ્યાન હોય છે. (૩) ઊંધા પુરુષાર્થ વડે બંધાયેલી અતિ દઢ મોહની ગાંઠ સ્વભાવના અપૂર્વ
પુરુષાર્થ વડે ક્ષણમાં છૂટી જાય છે. પૂર્વે અનાદિકાળમાં તેને છેદવાનું યથાર્થ ઉપાય કદીપણ કર્યો નથી. તે મોહને છેદવા માટે આત્માની જાગૃતિનો અપૂર્વ પુરુષાર્થ માગે છે, તે પુરુષાર્થ પોતાના હાથમાં છે. પોતે જાગીને શુદ્ધાત્મસ્વભાવમાં વળવાનો સમ્યક પુરુષાર્થ કરે તો તે જ ક્ષણે મોહની અતિ દઢ ગ્રંથિથી છેદાઈ જાય છે. દરેક રીતે આ મનુષ્યભવમાં આત્માનું હિત જે મોક્ષ છે, તે પુરુષાર્થથી જ પ્રાપ્તિ થાય એવો અવસર આવ્યો છે, અનુકૂળ નિમિત્તો છે, અને પૂર્વના સંસ્કાર જાગૃત થતાં રૂચિ પણ ઊપડી છે તો આ કાર્ય અવશ્ય કરવા જેવું છે. તો જ આ જીવન સાર્થક છે.
આ રીતે શુદ્ધાત્માની ઉપલબ્ધિથી મોહનો નાશ થાય છે.
જે ૧૦૨ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org