________________
જેને સનાતન વીતરાગ દર્શન પરિણમન પણ પોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે ક્રમબદ્ધ છે એમ શ્રધ્ધીને પરથી ભિન્ન પોતાના ધ્રુવસ્વભાવ તરફ જે વળે – તેને શુદ્ધાત્માના
અનુભવરૂપ ધ્યાન હોય છે. (૧૭) રાગ-દ્વેષ રહિત અનંત ચૈતન્યશક્તિસંપન્ન આત્માને ઓળખીને, તેમાં
એકાગ્રતા કર્યા વગર રાગ-દ્વેષ મોહ ટળતા નથી. જે જીવ ચેતન્યનું ધ્યાન કરવા માંગે છે એટલે કે ધ્રુવ સ્વભાવ તરફ વળીને તેમાં એકાગ્ર થવા માગે છે. તેને અનંત શક્તિથી અભેદરૂપ ચિન્માત્ર આત્મા ખ્યાલમાં આવે છે.
અનુભવમાં એકલું જ્ઞાન જ નથી પણ જ્ઞાન સાથે અનંતગુણો હોય છે. (૧૮) જ્ઞાન સ્વમાં એકાગ્ર થયું ત્યાં શાંતિ પણ થઈ એટલે સુખ થવું. વીર્ય બહારમાં
કામ કરતું તે અંતરમાં સ્વ તરફ વળ્યું. હું જ્ઞાયક છું' એમ સ્વીકારતી શ્રદ્ધા સ્વભાવ તરફ વળી. ચારિત્રની પણ અંશે સ્વરૂપ રમણતા થઈ. એ રીતે ધ્રુવ ચૈતન્યમાં એકાગ્રતાથી જ્ઞાનાદિ અનંતશક્તિની નિર્મળતા (પર્યાયમાં) પ્રગટ
થાય છે. • (૧૯) દરેક જીવ પોતાના ભાવને જ કરે છે અને તેને જ ભોગવે છે. પોતે પોતાને
ભૂલીને જ રખડે છે, સ્વભાવની સંભાળ કરીને પોતે જ ભગવાન થાય છે. શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ રાગ-દ્વેષને પણ કરતો નથી કે ભોગવતો નથી, સ્વભાવષ્ટિમાં તે નિર્મળ પર્યાય જ કરે છે ને તેના આનંદને જ ભોગવે છે. જે પરનું કર્તા-ભોક્તાપણું માને, તે જીવ મિથ્યાદષ્ટિ છે, તેને પરથી
ભિન્ન પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન હોતું નથી. (૨૦) શ્રદ્ધાનું જોર ધ્રુવ આત્મસ્વભાવ તરફ વળતાં ચૈતન્યમાં એકાગ્રતા થયા છે
તે સમ્મધ્યાન છે. ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતા કરવી તે જ શરૂઆતમાં, મધ્યમાં ને અંતમાં કરવાનું છે. પહેલેથી છેલ્લે સુધી તે એક જ મોક્ષમાર્ગ છે; તે પરમ સત્ય છે. ચૈતન્યમાં એકાગ્રતા સિવાય વચ્ચે બીજા ભાવ-ભૂમિકા અનુસાર આવે તો તે મોક્ષમાર્ગ નથી. એમ જાણવું જોઈએ. આમ અનંત શક્તિવાળા પોતાના ધ્રુવ ચૈતન્યપરમેશ્વરને લક્ષમાં લઈને, તે એકનું જ સંચેતન રહે, તે મોક્ષનું કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org