________________
જ જૈન સનાતન વીતરાગ દર્શન
: સદાય એવી ને એવી નિર્મળ પર્યાય થયા જ કરશે. આત્મામાં અનંત-અનંત કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ્યાજ કરે, એવી શક્તિ વર્તમાનમાં ભરી છે, એટલે
આત્મા અનંત ચૈતન્યશક્તિવાળો છે. (૧૩) આત્માનું જ્ઞાન સામર્થ્ય અમર્યાદિત છે; તે જ્ઞાનસામર્થ્ય વડે જ આત્માનો
મહિમા છે. ક્ષેત્રથી તેનો મહિમા નથી. અંતર્મુખ થઈને એકાગ્રતાથી કેવળજ્ઞાન થાય છે. જ્ઞાન પોતાના સ્વભાવમાં જ વ્યાપીને લોકાલોકને જાણે છે. એ જ પ્રમાણે સભ્યશ્રદ્ધા-જ્ઞાન પણ અંતરમાં એકાગ્રતાથી થાય છે, માટે પોતામાં જ અનંત શક્તિ ભરેલી છે. આવા શુદ્ધાત્માને જાણે, તેને જ તેમાં પ્રવૃત્તિદ્વારા શુદ્ધાત્મત્ત્વ હોય છે, અને તેને અનંત શક્તિવાળા ચૈતન્યમાં એકાગ્ર
સંચેતનરૂપ ધ્યાન હોય છે. (૧૪) અહીં શુદ્ધાત્માનું જ્ઞાન, તેમાં પ્રવૃત્તિ અને તેનું ધ્યાન-એવા ત્રણ પ્રકાર કહ્યા,
પણ તે ત્રણે ભેદરૂપ નથી, એકી સાથે જ છે. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી જ્યાં શુદ્ધાત્માપણું થયું ત્યાં જ જીવ સમ્યગ્દષ્ટિ-સમ્યજ્ઞાની છે અને તેનો મોહ ક્ષય થઈ ગયો છે. જ્ઞાતા-જ્ઞાન ને શેય, ધ્યાતા-ધ્યાનને ધ્યેય ત્યાં અભેદ
જ છે.
(૧૫) “પરમોત્કૃષ્ટ ચૈતન્યધન મોજૂદ આનંદકંદ છું – એમ જાણીને તેમાં એકાગ્ર
થયો, ત્યાં એક શુદ્ધ આત્મામાં જ અગ્ર રહ્યો એટલે કે એક શુદ્ધાત્મા જ વિષય રહ્યો, ઉપયોગ શુદ્ધાત્મામાં જ થંભી ગયો – એ જ ચૈતન્યનું નિર્વિકલ્પ
ધ્યાન છે. જ્ઞાનનો ઉપયોગ ચૈતન્યસ્વભાવમાં જ ટક્યો ત્યાં બીજા વિષયોમાંથી ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે. શુદ્ધાત્માને જ જ્ઞાનનો વિષય બનાવીને એકાગ્ર થતાં નિમિત્તો તેમજ વિકારીભાવો ઉપરથી લક્ષ ખસી ગયું ને એકલા શુદ્ધાત્માનો જ અનુભવ રહ્યો- આવા અનુભવથી
આત્માને શુદ્ધતા થાય છે ને મોહનો ક્ષય થઈ જાય છે. (૧૬) મારું શુદ્ધચેતન્ય સ્વરૂપ તે ‘સ્વતત્ત્વ અને મારા સિવાય બીજા પદાર્થો તે
“પરતત્ત્વએ પ્રમાણે જગતમાં “સ્વ” અને “પર” તત્ત્વો છે. તેઓ સ્વયં સિદ્ધ સ્વતંત્ર છે. દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે. એમ જાણીને, તેમ જ તેમનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org