________________
s
અનુભવન) ધ્યાન હોય છે; અને તેથી તે ધ્યાનને લીધે અનાદિ સંસારથી બંધાયેલી અતિ દૃઢ મોહ ગ્રંથિ છૂટી જાય છે.
88888 જૈન સનાતન વીતરાગ દર્શન
(૭) શુદ્ધાત્મામાં એકાગ્ર થયો ત્યાં જ અનંત ચૈતન્યશક્તિવાળા પરમાત્મા સ્વભાવની એકાગ્રતારૂપ ધ્યાન થયું. ‘ચિંતાનો નિરોધ તે ધ્યાન’ – એ વાત નાસ્તિથી છે, તે ધ્યાનનું ખરું લક્ષણ નથી. પણ એકલા શુદ્ધાત્મા સ્વભાવનું જ સંચેતન રહી જાયને, બીજી ચિંતા છૂટી જાય તેનું નામ ખરું ધ્યાન છે. એવા આત્મધ્યાનથી મોહનો ક્ષય થાય છે.
(૮) ધ્યાન કરનારે પહેલાં તો જે પદાર્થનું ધ્યાન કરવું છે, તેનું સ્વરૂપ જાણવું જોઈએ. પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના, તેનું ધ્યાન થઈ શકે નહિ. દૃષ્ટિનો વિષય કોણ તે પહેલાં જાણવું જોઈએ.
(૯) હજી જેને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ શ્રદ્ધા ન હોય, તેને તો શુદ્ધાત્માના ધ્યાન માટેની પાત્રતા પણ હોતી નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખીને, તેમની પાસેથી સાત તત્ત્વોનું સ્વરૂપ જાણી, તેમાંથી શુદ્ધાત્માનું સ્વરૂપ જાણે તેને શુદ્ધાત્માના ધ્યાન વડે મોહનો ક્ષય થાય છે.
(૧૦) કેવો છે આત્મા?' – અનંત શક્તિવાળો ચિન્માત્ર પદાર્થ છે. તે ચિન્માત્ર સ્વભાવમાં રાગ-દ્વેષ નથી. આત્મામાં અનંત ચૈતન્યશક્તિ છે એટલે કે અનંતનું જ્ઞાન કરી શકે તેવી શક્તિ છે; પણ કોઈનું કાંઈ કરી દે કે ફેરફાર કરે –એવી શક્તિ તો તેનામાં બિલ્કુલ નથી.
(૧૧) પર્યાયમાં એક સમયની મલિનતા ને અપૂર્ણતા છે. તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી. એક સમયના વિકારનું અસ્તિત્ત્વ પણ પર્યાયષ્ટિથી છે; દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી તો ચૈતન્યશક્તિ સંપન્ન ભગવાન આત્મામાં એક સમયનો વિકાર નથી. જે જીવ અંતર્મુખ થઈને આવા આત્માને જાણે, તેને તેમાં પ્રવૃત્તિથી મોહનો નાશ થાય છે.
(૧૨) આત્માને પોતાનો શુદ્ધાત્મા જ ધ્રુવ છે, તેથી તે જ શરણભૂત છે; એ સિવાય કોઈ પદાર્થ આત્માને શરણભૂત નથી. આમ નક્કી કરીને જેણે શુદ્ધાત્માનું શરણ લીધું, તેને તેના આશ્રયે નિર્મળ દશા પ્રગટી અને ધ્રુવ દ્રવ્યના શરણે
Jain Education International
22
For Personal & Private Use Only
www.jainelibrary.org