________________
28488 4898 જૈન સનાતન વીતરાગ દર્શન % % %
ધર્મનું સાધન આત્મામાં,
અર્થ પુરુષાર્થ આત્મામાં,
કામ-નિસ્પૃહતાનું ગ્રહણ આત્મામાં,
અને મોક્ષ-પર્યાયની પૂર્ણ નિર્મળતાની પ્રાપ્તિરૂપ મોક્ષ પણ આત્મામાં છે. આત્માનો પુરુષાર્થ આત્મામાં જ ચાલે. બહાર એની સત્તા નથી.
(૫) શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી મોહનો નાશ થાય છે.
(૧) ભગવાન ! અનાદિકાળથી આત્માની ભ્રાંતિને લીધે તું આ સંસારમાં રખડી રહ્યો છે. ‘તે ભ્રાંતિ અને સંસાર–ભ્રમણ ટાળવાનો ઉપાય શું? તેની આ વાત છે.
(૨) ‘શરીર, મન, વાણી વગેરે જડતી ક્રિયા હું કરું' એવી માન્યતા કે ‘વિષયભોગોમાં સુખ છે’ એવી માન્યતા, તે ભ્રમ છે, અજ્ઞાન છે, અધર્મ છે, દુઃખ છે - ‘તે કેમ મટે?' એવી જેને જિજ્ઞાસા થાય, તેને તેનો ઉપાય અહીં સમજાવવામાં આવે છે.
(૩) ‘હું બાહ્ય પદાર્થોથી અત્યંત ભિન્ન છું, કોઈ બાહ્ય પદાર્થો મને શરણભૂત નથી, મારો શુદ્ધ આત્મા ધ્રુવ છે તે જ મારું શરણ છે, તેમાંજ મારું સુખ આમ શુદ્ધ આત્માનો નિર્ણય કરતાં, તેમાં પ્રવૃત્તિ દ્વારા, આત્માની શુદ્ધતા થાય છે ને અનાદિની ભ્રમણાનો નાશ થઈ જાય છે. આ જ ભ્રમણા ટાળવાનો ઉપાય છે.
છે’
(૪) ‘મારો શુદ્ધ આત્મા જ ધ્રુવ છે ને બીજું બધું અધ્રુવ છે, તેથી મારો શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા જેવો છે.' આમ નક્કી કરીને શુદ્ધાત્માની ઉપલબ્ધિથી મોહનો ક્ષય થાય છે.
-
-
(૫) શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ દ્વારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. એ જ મોહના નાશની રીત છે.
(૬) યથાર્થ વિધિ વડે પોતાના શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિદ્વારા શુદ્ધાત્મત્વ હોય છે; તેથી તે શુદ્ધાત્માની પ્રાપ્તિને લીધે અનંત શક્તિવાળા ચિન્માત્ર પરમ આત્માનું એકાગ્ર સંચેતન લક્ષણ (અર્થાત્ ધ્યેયનું
૯૮
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org