________________
8 8 8 8 8
જૈન સનાતન વીતરાગ દર્શન
[88
(ડ) અને હવે છેલ્લે, ‘હું ચિન્માત્ર જ છું' ‘હું શાયક જ છું' એના સૂક્ષ્મ ઉપયોગવડે એક દ્રવ્યને ગ્રહણ કરવું તે જ છે. આ સૂક્ષ્મ ભેદજ્ઞાનની વિધિ છે. જ્યારે અંતર્મુખ થયેલી વર્તમાન જ્ઞાનની પર્યાય-શુદ્ધ થતાં થતાં જેવો વીતરાગી સ્વભાવ છે તેવી શુદ્ધ થઈ જાય, એ નિર્મળ જ્ઞાનની પરિણતિમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન જણાય છે – તે નિશ્ચય ભેદજ્ઞાન છે - એ ધર્મ છે એ આત્માનુભૂતિ છે એ જ સમ્યગ્દર્શન છે.
(૩) સમ્યક્ સન્મુખતાના સંસ્કાર
હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું, એમ શાયકના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે; તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે, તે જીવને સમ્યક્ સન્મુખતા રહે છે, મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે, એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું હોય તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યક્ત્ત્વની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દૃઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે. તેમ સમ્યક્ સન્મુખતાના એવા દૃઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ – શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે... તે દ્રવ્ય.
જ્ઞાનસ્વભાવ....ચૈતન્યગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે.
તેની વર્તમાન જ્ઞાન-દર્શનની પર્યાય (પરિણતિ) તે વ્યક્તરૂપ લક્ષણ છે. બસ એટલામાં જ તેનું અસ્તિત્ત્વ છે.
અહાહા ! સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય.
દેહાદિથી અને રાગથી ભિન્ન અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ પોતાને અંતરંગમાં જાણવો, માનવો અને અનુભવવો એ જ આત્માનું જીવન છે.
અંતર્લક્ષ કરતાં આ જ્ઞાનગુણસ્વરૂપ છે તે આત્મા છે એમ જ્ઞાન (પ્રગટ) થવું તે સમ્યજ્ઞાન છે, ભેદજ્ઞાન છે, સમ્યગ્દર્શન છે, આત્માની અનુભૂતિ છે.
Jain Education International
૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org