________________
989869 જૈન સનાતન વીતરાગ દર્શન @@ -૧૩મજૈન શાસણમાં દરેક જીવનું પ્રથમ કર્તવ્ય શું છે?
આત્માનુભૂતિ
(મુખ્ય ચાર વાતો) (૧) સ્વસમ્મુખ થઈને હું જ્ઞાન છું એવો નિર્ણય કરવો. તે અનંતકાળે નહિ કરેલ અપૂર્વ
ચીજ છે. (૨) “હું જ્ઞાન છું. એમ અંતરમાં જ્ઞાનવસ્તુનો નિર્ણય અને અનુભવ કરવો તે આખા
જૈનશાસનનો સાર છે. (૩) કોઈ પૂછે કે “પહેલાં અમારે શું કરવું?” તો જ્ઞાની કહે છે કે હું જ્ઞાનસ્વરૂપ છું એવો
અંતરમાં નિર્ણય કરીને તેનો અનુભવ કરવો. આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે. (૪) “જિજ્ઞાસુ જીવે ઘર્મ કરવા માટે શું કરવું?
ઉત્તરઃ જગતમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની ચીજો છે. (૧) સંયોગી પર વસ્તુઓ (આત્મા સિવાયની બીજી ચીજો) (૨) વિકારી ભાવો (આત્માની પર્યાયમાં થતી શુભ-અશુભ લાગણીઓ)
(વિપરીત માન્યતા સાથેની). (૩) ક્ષણિક પર્યાય - વર્તમાન જ્ઞાનની પર્યાય...
(પરને તથા રાગને જાણતું જ્ઞાન) (૪) ધ્રુવ - જ્ઞાનસ્વભાવની વસ્તુ (ત્રિકાળ ટકનાર શુદ્ધ એકરૂપ આત્મા-પરમ
પારિણામિક ભાવ) આ રીતે ચાર બોલનું અસ્તિત્ત્વ પહેલાં નક્કી કરો. હવે નક્કી કરો કે કોનું લક્ષ અને એકાગ્રતા કરવાથી કલ્યાણ થાય? કઈ વસ્તુ આત્મ કલ્યાણનો આધાર થઈ શકે?
ઉપર પ્રમાણે ઊંડો વિચાર કરીને પછી નિર્ણય કરો કે તે ચાર પ્રકારના પદાર્થોમાંથી ત્રિકાળ ટકનાર જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે જ કલ્યાણ થાય. તે સિવાય બીજા કોઈના આશ્રયે કલ્યાણ થાય નહિ... કેમકે
(૧) આત્મા સિવાયની પર વસ્તુઓ તો પોતાથી જુદી છે. (૨) વિકારી ભાવો ક્ષણિક અને નાશવંત છે. (૩) જ્ઞાન વગેરેની ક્ષણિક પર્યાય પણ નવી નવી બદલાયા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org