________________
1998 19 20 જૈન સનાતન વીતરાગ દર્શન :
(૮) જૈનદર્શન-વસ્તુદર્શન (૧) અમે તો ભગવાનને અનુસરીને તને આ કહીએ છીએ, માટે તું નિઃસંદેહ થા,
વિશ્વાસ લાવ, પાંચમો આરો કે ઓછા પુણ્ય અને વર્તમાનમાં ઓછપને લક્ષમાં ન લે. તું પૂરણ પરમાત્મા છો ને તે પણે પરિણમવાને લાયક જ છો. અરે પ્રભુસાંભળ તો ખરો ! તારી પ્રભુતા તો જો! વ્યવહારના શુભ રાગની પર્યાય તો ક્યાં રહી ગઈ, પણ વીતરાગ નિર્મળદશારૂપ મુનિપર્યાયનો પણ જેમાં અભાવ છે એવી તારી ધ્રુવ જ્ઞાયક પ્રભુતા છે. નિર્મળ પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે અને સમસ્ત પર્યાયથી રહિત એવું ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય નિશ્ચયનયનો
વિષય છે. (૩) આહાહા ! આત્મા મુનિ છે અથવા કેવળજ્ઞાની છે – એવો પર્યાયનો ભેખ પણ
ધ્રુવ શાયકમાં નથી. કેવળજ્ઞાન પણ પૂર્ણ નિર્મળ પર્યાય છે. જ્ઞાનની પૂર્ણ પર્યાયવાળો પણ ભગવાન આત્મા નથી.એ પર્યાય ધ્રુવ દ્રવ્યનો વેશ નથી. આત્મા તો ધ્રુવ ગુણસ્વરૂપ સહજ જ્ઞાનની મૂર્તિ છે. ગજબની વાત છે નાથ ! આ
જેનદર્શન-વસ્તુદર્શન છે. (૪) આત્મા વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક છે તે અનંતગુણનો પિંડ છે, એ આખું પૂર્ણ
તત્ત્વ ત્રિકાળી અતિરૂપ છે, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય અગાધ અને આશ્ચર્યકારી છે. તેને સમજે તો આત્માનો મહિમા-મહાભ્ય આવે ને રાગનું અને અલ્પજ્ઞાનનું મહાભ્ય છૂટી જાય. એનું સ્વરૂપ રૂચિપૂર્વક ખ્યાલમાં લે તો એનું મહાભ્ય આવે અને બીજે બધેથી મીઠાશ ઊડી જાય. રાગનું મહાભ્ય છૂટી જાય. આમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે તો આત્માનો મહિમા આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org