________________
88 888
જૈન સનાતન વીતરાગ દર્શન
!!
અનંતાનંતગુણાથી પણ જેનું માપ ન થઈ શકે એવી એક કેવળજ્ઞાન પર્યાયની તાકાત; એવી અનંતપર્યાયની તાકાતવાળો એક જ્ઞાનગુણ; ને એવા અનંતગુણોનો અખંડ પિંડ એકેક આત્મા ! આત્માનો કેટલો વૈભવ !
આવા બધા ભંગ-ભેદોને જાણવાની જ્ઞાનની તાકાત છે. અંદર સ્વાનુભવમાં જે આનંદના તરંગ ઉલ્લસે તેને પણ જ્ઞાન જ જાણે છે. આથી એ અપેક્ષાએ જ્ઞાન-સાકારએટલે આત્મા સાકાર. જ્ઞાનમાં સ્વ-પરના સમસ્ત આકારોને તે જાણે છે એ અપેક્ષાએ સાકાર છે. આ સાકારપણું જ્ઞાનની તાકાતની અપેક્ષાએ કહ્યું; અને પ્રદેશની અપેક્ષાએ આત્માનો અસંખ્યપ્રદેશી અરૂપી આકાર છે. આત્મા નિરંજન-નિરાકાર (મૂર્તિક આકારના અભાવને લીધે) છે.
સ્વસંવેદન વખતે જ્ઞાનના સાકારપણાની કોઈ ખાસ વિશેષતા છે.તે પોતાની ક્ષણિક પર્યાયરૂપે પરિણમે છે તે જ જ્ઞાનનું ખરું પરિણમન છે, અને તે પરિણમનમાં રાગાદિનો અભાવ છે. જ્ઞાનશકિત અને તેનું પરિણમન આત્મા સાથે અભેદ છે.
તારી જ્ઞાનશક્તિ ત્રિકાળ પારિણામિક ભાવે તારામાં છે તેના આશ્રયે જ્ઞાનનું જે સમ્યક્ પરિણમન થયું તે યથાર્થ ક્ષયોપશમભાવરૂપ કે ક્ષાયિકભાવરૂપ છે. ‘જ્ઞાન’ તો તેને કહેવાય કે જે જ્ઞાનસ્વભાવ સાથે સંધિ જોડે અને સર્વજ્ઞપદ પમાડે.
જ્ઞાનનો ઉપયોગ સાકાર છે, આકારો એટલે વિશેષો; દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને વિશેષો કહેવાય. આવા સમસ્ત આકારોને જાણવાની જ્ઞાનની તાકાત છે. તેનું જ્ઞાન કરતાં પર્યાયમાં તે પૂર્ણ પ્રગટ થાય છે.
સામાન્યપણે એકરૂપ ટકીને વસ્તુ સમયે સમયે વિશેષરૂપે પરિણમે છે,એવું સામાન્ય વિશેષરૂપ વસ્તુસ્વરૂપ જ છે. તારી જ્ઞાન પર્યાય (અર્થાત્ જ્ઞાનના વિશેષો) તારા અસ્તિત્વમાં છે, આવી સ્વાધીનશક્તિવાળા આત્માને શ્રદ્ધા-જ્ઞાનમાં લેવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
આવું સ્વભાવનું સામર્થ્ય અંદરથી આવવું જોઈએ. મહાન વસ્તુ આત્મા, સર્વને જાણનાર આશ્ચર્યકારી શક્તિનો પિંડ તેનો મહિમા અને ઉત્સાહ કર ! સ્વનો મહિમા આવે તો પરિણતિ સ્વશ્રય તરફ ઝૂકે ને તે પરિણતિમાં અનંતગુણની નિર્મળતા ઉલ્લસે! આનું નામ ધર્મ. વીતરાગ પ્રભુએ આ ધર્મનો સુખી થવાનો ઉપદેશ આપ્યો છે.
૯૧
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org