SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર જે નિમિત્ત છે તેનું યથાર્થ જ્ઞાન તેમજ તેમની સાચી શ્રધ્ધાઃ (૧) દેવ ઃ ભગવાન સર્વશ વીતરાગ દેવ છે. જેનું વીતરાગ સ્વભાવરૂપ વીતરાગી પરિણમન થયું છે તે જ સાચા દેવ છે. અરિહંત અને સિધ્ધ. (૨) ગુરૂ: જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુધ્ધ રત્નત્રય નિર્મળ વીતરાગ પરિણમન થયું છે અને જે વીતરાગ સ્વભાવી શુધ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે સાચા ગુરૂ છે. નગ્નદિગંબર ભાવલિંગી સંત જ સાચા ગુરૂ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. (૩) ધર્મ: વીતરાગ સ્વભાવે આત્માનું પરિણમન થાય તે ધર્મ છે. જેમાં માત્ર વીતરાગતાની પ્રરૂપણા છે એવા શાસ્ત્રો સાચા પરમાગમ છે. આ પ્રમાણે દેવ-ગુરૂ-શાસ્ત્ર ત્રણેય વીતરાગસ્વરૂપ જ છે. બધાય શાસ્ત્રોનું તાત્પર્ય એક વીતરાગતા જ છે, સમભાવ છે, સામ્યભાવ છે. Jain Education International ર ર ર ' For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005527
Book TitleSamyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy