________________
)
XOXOXOS
ग्राहकता स्वामित्वतारे, व्यापक भोक्ता भाव। कारणता कारज दशारे, सकळ ग्रह्यं निज भाव।।
- કિત.ોટો કે
अर्थ : हे प्रभो ! आपके दर्शन से स्वभाव की ग्राहकता, स्वामित्व, व्यापकता, भोक्तृता, कारणता और कार्यता का भान हुआ है । અર્થ : હે પ્રભુ ! આપના દર્શનથી સ્વભાવની ગ્રાહકતા, સ્વામીપણું, વ્યાપકતા, ભાતૃતા, કારણતા અને કાર્યતાનું ભાન થયું છે.
સ્વો. બાલાવબોધઃ એટલા કાલ સુધી એ જીવ વિષય-સુખનો ગ્રાહક હતો, હવે શુદ્ધ અવ્યાબાધ-સુખી પરમેશ્વર દેખીને એ જીવ અવ્યાબાધસુખનો ગ્રાહક થયો. એટલા કાલ સુધી ભૂલનો વાહ્યો વિષય-સુખનાં હેતુ જે ધન-સ્ત્રી-વસ્ત્ર-આહારાદિક પર-ભાવ, તેનું સ્વામિપણું કરતો હતો, હવે જ્ઞાનાદિક અનંત ગુણ-સંપદાના સ્વામી શ્રી દેવાધિદેવ દેખીને એ જીવને પણ અનંત જ્ઞાનાદિક સ્વ-સંપદાનું સ્વામિપણું થયું એટલે ગ્રાહક-ભાવ તથા સ્વામિત્વ-ભાવ સમર્યો.
એટલા કાલ સુધી એ આત્મા વિષયાદિક પ૨-ભાવ મણે વ્યાપક હતો, તે હવે આત્માનંદ મળે તથા તેના સાધન મધ્યે વ્યાપક થયો.
તથા, અનાદિ કાલ સુધી પર-ભાવનો ભોક્તા હતો, હવે પરમ પ્રભુ સ્વભાવ-ભોગી દેખીને એ પણ સ્વભાવનો ભોક્તા થયો એટલે વ્યાપક્તા તથા ભોક્તાપણું સમર્યું.
એટલા કાલ સુધી ભલે પડ્યો એ આત્મા, સંસારમાં આઠ કર્મરૂપ ઉપાધિનું ઉપાદાન-કારણ હતો. હવે શુદ્ધ-સ્વરૂપી નિઃકર્મા તત્ત્વ-દેવ દેખીને પોતાના શુદ્ધ-સ્વરૂપનું ઉપાદાન-કારણ થયો.
એટલા કાલ સુધી એ આત્મા આઠ કર્મરૂપ કાર્યનો કર્તા હતો, હવે પરમ દેવની શ્રદ્ધા પામીને સંવર-નિર્જરારૂપ કાર્યનો કર્તા થયો.
માટે, હે પરમેશ્વર ! હે જગદાધાર ! હે દીન-બંધો ! તમારે અનુયાયી મારી ચેતના પ્રવૃત્તિ, તેથી કારણ તથા કાર્ય - ઈત્યાદિ બીજી પણ અનંતી આત્મ-શક્તિ તે સર્વ સમરવા લાગી એટલે સર્વ આત્માની સર્વ શક્ત આત્મ-ભાવ ગ્રહ્યો અને પ૨-ભાવ તજવા માંડ્યો.
|| ત ષ્ટમાર્થઃ || 6 ||
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org