SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : ऐसे परमात्मा प्रभु परमानन्द स्वरूप हैं और ये परमात्मा स्याद्वादमयी शुद्ध-सत्ता के रसिक हैं । कर्ममल से रहित, अखण्ड और अनुपमअद्वितीय हैं जिनके दर्शन से भी मुझे असीम लाभ प्राप्त हुआ है। અર્થ : આવા પરમાત્મા પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે. એ પરમાત્મા સ્યાદ્વાદમયી શુદ્ધ-સત્તાના રસિક છે. કર્મ-મળથી રહિત, અખંડ અને અનુપમ-અદ્વિતીય છે, જેના દર્શનથી પણ મને અનહદ લાભ થયો છે. સ્વો, બાલાવબોધ : હવે જે નિમિત્ત પામીને ઉપાદાન સમરે પલટણ પામે તે રીતે કહે છે અથવા પ્રભુ પરમાત્મા તેહનું સ્વરૂપ કહે છે, આત્મા ત્રણ પ્રકારના છે-એક બહિરાત્મા, બીજો અંતરાત્મા, ત્રીજો પરમાત્મા. તિહાં જે શરીરાદિક ઔદયિક ભાવ-કર્મજનિતને આત્મપણે ગણે તે ‘બહિરાત્મા’ કહિંમેં. અને જે શરીરાદિક ઔદયિક-ભાવથી ‘આત્મા’ અસંખ્યાત-પ્રદેશી ચેતના લક્ષણ જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાય સહિત અરૂપી ‘ભિન્ન' છે એટલે આત્મા અરૂપી-શરીર રૂપી, આત્મા સહજ અકૃત્રિમ-શરીર સંયોગી કૃત્રિમ, તે માટે કર્મ-યોગે શરીરાદિ મધ્યે રહ્યો પણ ભિન્ન છે. એહવો ભેદ-જ્ઞાનવંત સમકિત ગુણઠાણાથી માંડી ક્ષીણ-મોહ ગુણઠાણાના ચરમ-સમય પર્યત ‘અંતરાત્મા’ જાણવો. તથા જ્ઞાનાવરણી-દર્શનાવરણી-મહની-અંતરાય એ ચાર કર્મ ક્ષય ગયા કેવલજ્ઞાની તે સગી અને અયોગી કેવલી તથા અષ્ટ-કર્મ મુક્ત સિદ્ધાત્મા તે પરમાત્મા જાણવો. ' એટલે, શ્રી અજિતનાથ અરિહંત એવં ભૂત-નર્દે પરમાત્મા છે-પ્રભુ છે, સર્વ સિદ્ધ વસ્તુગતે પોતાના ગુણપર્યાયરૂપ સંપદાના પ્રભુ છે. | કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યનું સ્વામી હોય જ નહીં. જ્યાં સુધી જે દ્રવ્યના ચિંતનમાંહે પણ પર-દ્રવ્યનું સ્વામિપણું છે ત્યાં સુધી દ્રવ્ય શુદ્ધ નહીં. તે માટે શ્રી અજિત અરિહંત પોતાના સ્વભાવના પ્રભુ છે. અને ઉત્તમ જીવ પોતાને કર્મ-વશ પડ્યા મોહે મુંઝવા જાણી પોતાને રંક સમાન ગણે અને અમોહી સ્વાધીન થયા તેહને પ્રભુ કહે અને અમોહીને અવલંખ્યાં પોતેં સ્વ-સંપદાના ધણી થાય. તે માટે જેના કારણપણાથી પોતાનું પ્રભુત્વપણું પામીમેં તેહને પ્રભુ કહી સ્તવીર્યો. જગતમાંહે પુદ્ગલના સંયોગે જે સુખ કહેવાય છે તે તો આરોપ માત્ર છે એટલે જાતેં સુખ નથી. उक्तं च विशेषावश्यके - વત્તો વિવ વર્ષ, સોમ ! સુદં નચિ ટુ : તમેટું . તપડિયાર વિમરૂં, તો પુ રુત્ત તિ તુ: / ૧ /'' (વિ..'I, ૨૦૦૫) અર્થ : હે સૌમ્ય ! પ્રભાસજ્ઞાનાવલોકનન સર્વ દૃશ્યમાન તે સુખ નથી. જે કાંઈ એ સંસારમાં સુરગુ-ચંદન-અંગના-સંયોગથી ઉપનાં જે સુખ તે સર્વ દુ:ખ જ છે. વિષયની ઉત્સુકતાથી ઉપની જે અરતિ તેહનો એ પ્રતિકાર છે એટલે દુ:ખ. તેને જ તત્ત્વના અજાણપણાથી સુખદુ:ખરૂપ ભેદં વહેંચ્યું છે પણ જાતેં એક જ દુ:ખરૂપ છે. | || Nયા || નો : “औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा, क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव । नातिश्रमापगमनाय यथा श्रमाय, राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम् ।। १।।" (वि. भा गा.२००५ टीका) અર્થ : પ્રતિષ્ઠા માત્ર ઉત્સુકતાને દૂર કરે છે. પ્રાપ્ત વસ્તુની જાળવણી કરવાની વૃત્તિ જ કુલેશને માટે થાય છે. જેવી રીતે પોતાના હાથ વડે ઘારણ કરાયો છે દાંડો જેનો એવા છત્રની જેમ રાજ્ય શ્રમને માટે થાય છે પરંતુ અતિશય એવા શ્રમને દૂર કરવા માટે બનતું નથી. જે પુણ્ય-ફલ તે સર્વ તત્ત્વથી દુઃખરૂપ છે. उक्तं च - “विषयसुहं दुक्खं चिय, दुक्खपडिआरओ तिगछ ब । તં સુદમુવારાનો, ન ૩વચારો વિI તમ્ IIT'' (વિ.HT. T. ર૦૦૬) અર્થ : વિષય-સુખ તે તત્ત્વથી દુઃખ જ છે. જેમ રોગીને ક્વાથપાન-છેદન-દંભનાદિ ચિકિત્સાની પરેં હિત ભાસે છે પણ દુ:ખપણું છતું છે માત્ર ઉપચારૈ સુખ ભાસે છે અને જે ઉપચાર તે તથ્ય-પારમાર્થિક સુખ વગર થતો નથી. સુખ તે મુક્ત આત્માને નિરુપચરિત સ્વાભાવિક નિ:પ્રતિકારરૂપ આત્મિક આનંદ છે, તે જ સુખ છે. તથા, શાતાનો ઉદય તે પણ દુઃખ, અશાતાનો ઉદય તે પણ દુ:ખ. કારણ કે શાતા તે કર્મ છે અને કર્મનો વિપાક તે ગુણ-રોધક છે. સ્વગુણનો રોધ તેહને સુખ કોણ કહે ? उक्तं च - "सायाऽसायं दुक्ख, तबिरहम्मि य सुहं जओ तेणं । વિયેતુ કુઉં, સુવું રેટિંકિયામા '' (વિ.HT.TI.ર૦૧૧) અર્થ : શાતા અને અશાતા-બન્ને દુઃખરૂપ છે અને જે કારણથી તે બન્નેના વિરહમાં જ સુખ છે તે કારણથી દેહ અને ઈન્દ્રિયોમાં દુ:ખ છે તથા દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ સુખ છે. તે માટે સંસાર સર્વ દુ:ખરૂપ છે અને સર્વ પર-ભાવના સંગથી રહિત સ્વાભાવિક જે આનંદતેને પરમાનંદ કહીયેં. તે પરમાનંદ શ્રી અજિતનાથનું સ્વરૂપ છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary org ૭૫
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy