SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) એ આત્મા વર્તમાન સમયે જ્ઞાન-દર્શનાદિ સ્વ-પર્યાયની પરિણતિપણે અસ્તિ છે એટલે અતીત-પર્યાય તો વિનષ્ટ છે, અનાગત-પર્યાય અનુત્પન્ન છે, માટે વર્તમાન-પર્યાય ગ્રહણ કર્યો. ઈહાં સાત્ તે નાસ્તિ-અવક્તવ્ય ધર્મનો અનર્પિતતાનો દ્યોતક છે, એ રીતેં યાત્ અતિ એ પહેલો ભંગો થયો. (૨) તથા, સાત્ તે કથંચિપણે ગતિ-સ્થિતિ-અવગાહોપકારી વર્ણાદિ-અચેતનાદિ પર-દ્રવ્ય-ધર્મ તથા પોતાના અતીત-અનાગત પર્યાય, તે સાંપ્રતિક વર્તવાપણે નથી એ નાસ્તિ ભંગો દ્રવ્યને દ્રવ્યપણે રાખવારૂપ છે, નહીં તો કોઈ કાર્લે જીવ તે અજીવતાને પામે. એ સાતું નાસ્તિ બીજો ભંગ થયો. (૩) તથા, અસ્તિ ધર્મ પણ વચને અગોચર છે અને નાસ્તિ-ધર્મ પણ વચને અગોચર છે. તે વચન-ગોચર ધર્મથી વચન-અગોચર ધર્મ અનંત-ગુણા છે, તે માટે સ્યાત્ -કથંચિત્મણે દ્રવ્યમાં અવક્તવ્યપણું છે એટલે ઉભય નય યુગપત્ર અર્પણ કરતાં સર્વ પદાર્થ અવક્તવ્યપણે છે. માટે એ ત્રણ ભંગા સકલાદેશી તે દ્રવ્યાસ્તિક-નયપણે જાણવા. એ ત્રણ ભંગામાં સંગ્રહ તથા વ્યવહાર-નયની પ્રવૃત્તિ છે એ સ્યાત્ અવક્તવ્ય નામા ત્રીજો ભાંગો થય. (૪) તથા, ચોથો ભંગ સાત્ અસ્તિ-નાસ્તિ છે, તે સમુચ્ચયાશ્રયી સ્વદ્રવ્યાર્થ-પર્યાયાર્થના અસ્તિતાપણે તથા તેહિજ ભિન્નોપયોગપણે તે અતીત-અનાગત-પરિણામિકપણે નાસ્તિતા છે, એ બે ધર્મ પોતાના જ ગણ્યા છે. (૫) તથા, જે વિવક્ષિત વચન-ગોચર દ્રવ્યથાર્થ મુખ્ય આત્મ-ધર્મને અપેક્ષાર્થે અસ્તિ છે, તેહિ જ આત્મ-દ્રવ્યનો સામાન્ય-વિશેષદ્રયનો ભિન્ન પ્રવૃત્તિ-ધર્મ સમકાલે અંગીકાર કરતાં ચાતું અસ્તિ-અવક્તવ્ય એ પાંચમો ભેગો થયો. (૬) છઠ્ઠો સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય એ એમ જ પાંચમાની પર્વે ભાવવો. એ પર્યાયની સૂક્ષ્મતા-અનંતતા ગ્રહીને કર્યો, એ છઠ્ઠો ભંગ થયો. (૭) સાતમો ચાતું અસ્તિ-સ્યાત્ નાસ્તિ-યુગપત્ અવક્તવ્ય નામ ભંગો છે. તે કોઈક દ્રવ્યાર્થ-વિશેષ, આશ્રી અસ્તિ, પર્યાય-વિશેષ આશ્રી જે નાસ્તિ, તેથી જ સ્વ-દેશેં ભિન્નપણે અવક્તવ્ય-એ સર્વ પર્યાય તે નયની પ્રવૃત્તિ છે, એ સાતમો ભંગ. એ સપ્તભંગી તે નિત્ય-અનિત્ય, ભેદ-અભેદાદિક ધર્મની. તથા જ્ઞાન-દર્શનાદિક ગુણની સપ્તભંગી થાય તે ભાવે છે. જ્ઞાન જે છે તે જ્ઞાયક-પરિચ્છેદકાદિ સ્વ-પર્યાયં અસ્તિ છે, દર્શન-ચારિત્રાદિ સ્વ-દ્રવ્ય પર્યાયે તથા જડતાદિ પર-પર્યાય નાસ્તિ છે. એમ અનંતી સપ્તભંગી સંભવે તે બુદ્ધિવંતે ભાવવી. તથા, તત્ત્વાર્થ-વૃત્તિનેં વિષે, વલી સમ્મતિ-વૃત્તિને વિષે વિસ્તારથી કહી છે અને સ્યાદ્વાદરત્નાકર એહનું સ્વરૂપ તથા ઉપપત્તિ-પ્રવૃત્તિ-પરિણતિ-નય સર્વ વખાણ્યા છે, તિહાંથી જોઈ લેજો. હવે ગાથાનો અર્થ લખે છે, નિજ કેતાં પોતાનેં, ભાર્થે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ-સ્વભાવપણે, સીય કેતાં ચાતુ-કથંચિત્પણે, અસ્તિ છે અને તેથી જ દ્રવ્ય પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ-પરભાવપણે નાસ્તિ છે તે નાસ્તિપણું દ્રવ્યમાં અતિ કેતાં છતાપણે રહ્યો છે. વલી, સીય કેતાં ચાતુ-કથંચિત્, ઉભય કેતાં અવક્તવ્ય-સ્વભાવ એટલે આદિ ભાંગો તથા અંતનો ભાગ સંભારતા સાતે ભેગા કહેવાણા. એવી સ્યાદ્વાદ-પરિણતિ તે હે પરમેશ્વર ! તમે પ્રત્યક્ષ-જ્ઞાનેં સર્વ દ્રવ્યની જાણીને ઉપદેશ કર્યો. એવી તાહરી વાણી છે. એ રીતે શુદ્ધ અનંતતા, અનેકતા, સત્ત્વ(૯)તા, સાધકતાયુક્ત શ્રી અરિહંતનો ઉપદેશ છે. | || રમાવાર્થઃ || ૮ || अस्ति स्वभाव जे आपणारे, रुवि वैराग्य समेत। प्रभु सन्मुख वंदन करी रे, मागीश आतम हेतोरे Jain Education International For Pers Private Use Only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy