SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : जगत के नाथ श्री धर्मनाथ भगवान् के शुद्धस्वभाव का निरन्तर गान, स्मरण और ध्यान करना चाहिए तथा उनके शुद्धस्वभाव में तन्मय बनकर अपने आत्मा को भी उसी परमात्मरूप में देखना चाहिए। क्योंकि, जीव की जीवत्व जाति एक ही है । वह कभी बदलती नहीं । शुद्ध संग्रहनय की अपेक्षा से तो वस्तु आत्मा की सत्ता शुद्ध गुण-पर्यायमयी हैं । संग्रहनय शुद्ध सामान्य सत्ताग्रही है अतः वह सर्व जीवों को सिद्ध समान मानता है । અર્થ : જગતના નાથ શ્રી ધર્મનાથ ભગવાનના શુદ્ધ સ્વભાવનું નિરંતર ગાન, સ્મરણ અને ધ્યાન કરવું જોઈએ. તેમ જ તેમના શુદ્ધ સ્વભાવમાં તન્મય બની પોતાના આત્માને પણ તેવો જ એટલે કે પરમાત્મારૂપે ભાવવો-વિચા૨વો જોઈએ. કારણ કે, જીવની જીવત્વ જાતિ એક જ છે, તે ક્યારે પણ પલટાતી નથી. તેમ જ, શુદ્ધ સંગ્રહ-નયની અપેક્ષાએ તો વસ્તુ-આત્માની સત્તા શુદ્ધ ગુણ-પર્યાયમયી છે. સંગ્રહ-નય શુદ્ધ સામાન્ય સત્તા-ગ્રાહી છે તેથી તે સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. સ્વો. બાલાવબોધ : હવે, શ્રી ધર્મનાથ ભગવાનની સ્તુતિ કરે છે અને આત્મ-દ્રવ્યને સાધકતા-બાધકતાનો ઉપયોગ આણે છે. તિહાં, ધર્મ એહવે નામે પક્ષ૨મા તીર્થંકર, જગદુપકારી, પરમતત્ત્વી, જગતના નાથ-ધણી, તેહને પરમ હિતકારી ધર્મ પ્રગટ્યો છે તે આત્મ-સ્વભાવી ધર્મ છે. उक्तं च संग्रहाण्यां - ‘‘નો મુળ બાવસહાવો, ધમ્મોપારિસ ।।'' ફચાવિ ।। અથવા, ‘સમયવસ્તુયદો ।।'' ત્યાદિ ।। અર્થ : વળી, જે આત્મ-સ્વભાવ છે, (તે) પ્રકૃષ્ટ ધર્મ છે અથવા ઉભય(પુણ્ય-પાપ)ના ક્ષયનું કારણ છે. पुन: भावधर्माधिकारे - “નીવાળું માવધમ્મો, મ્ભમાવેજ ખો જીતુ સહાવો ।।'' ત્યાદ્રિ ।। અર્થ : કર્મોના અભાવથી જે ખરેખર(આત્માનો) સ્વભાવ છે, (તે જ) જીવોનો ભાવ-ધર્મ છે. ‘‘જન્મવિમુસવો, ગળિવિયત્તો જીિનમેખ્વાબો । रूवादिविरहतो वा, अणाइपरिणामो भावाओ ।।9।।" इत्यादि धर्मस्य स्वरूपं उक्तं । અર્થ : ‘કર્મથી વિમુક્ત સ્વરૂપ વાળો, અનિન્દ્રિયત્વ વાળો, અછેદ્ય, અભેદ્ય અથવા રૂપાદિના વિરહપણાવાળો અનાદિનો પરિણામ-એ ભાવ (ધર્મ) છે.’’ આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ બતાવ્યું. એહવો શ્રી ધર્મનાથ સ્વામીનો ધર્મ, શુચિ કેતાં પવિત્ર, નિરાવરણ-પરાનુયાયીપણારહિત તેને ગાઈયેં-વારંવાર સંભારીયેં, તત્ત્વ-પ્રગટરૂપ તે સ્તવિકેં અને પોતાનો આત્મા પણ તેહવો જ ભાવીયેં કેતાં વિચારીયેં એટલે જેહવો ધર્મનાથ સ્વામીનો ધર્મ છે, તેહવો જ અમારો આત્માનો ધર્મ છે. तथा च सिद्धप्राभृतटीकाम्म् - ‘‘બારિસ સિદ્ધસહાવો, તારિસ માવો ૪ સવનીવાળું । તેન્દ્ર સિદ્ધતરૂડ, ઝાયના મવનીવેટિં || 9 ||'' અર્થ : જેવો સિદ્ધોનો સ્વભાવ છે, ખરેખર ! તેવો જ સ્વભાવ જીવોનો છે. તેથી સંસારી જીવો દ્વારા સિદ્ધાંત(શાસ્ત્ર)ની રુચિ કરવા યોગ્ય છે. तथा च तत्त्वार्थटीकायाम् “નીવો નીવાવસ્થઃ સિદ્ધઃ ।।'' કૃતિ ।। અર્થ : સંસારી જીવ જીવપણાની અવસ્થાવાળો સિદ્ધ છે. તે માટે, સિદ્ધપણું તે જીવની પોતાની અવસ્થા છે. ઈહાં કોઈ પૂછે જે- ‘સિદ્ધ તથા સંસારી, સકર્મા, સમોહી, મિથ્યાત્વી, અસંયમીને તુલ્ય કેમ કહો છો ?' તેહને કહે છે જે- વસ્તુની જાતિ એકતાપણે છે તે કિવારેં પલટે નહીં. માટે જીવ દ્રવ્યનો એહિ જ ધર્મ છે જે-અનાદિનો કર્માવર્ત્ત થયો તો પણ પલટે નહીં, સ્વ-જાતિ મુકે નહીં. તો મારી તથા શ્રી ધર્મનાથ સ્વામીની જીવની જાતિ એક છે. શ્રી ઠાણાંગમાં કહ્યું છે – ‘ì ગયા’’ અર્થ : આત્મા એક છે. ઈત્યાદિ. તે માટે યદ્યપિ અત્યંત મોહ-તીવ્ર અબોધમાં પડ્યો, તો પણ જીવત્વપણો સંગ્રહ-નર્ષે તેવો જ છે જે શુદ્ધ-નિર્મલ ગુણપર્યાયમયી વસ્તુની સત્તા છે. કેમકે સર્વ પદાર્થ ગુણ-પર્યાયસંયુક્ત છે. उक्तं च तत्त्वार्थे - ‘‘મુળવર્ષાવવવું દ્રવ્યમ્ ।।'' કૃતિ ।। અર્થ : દ્રવ્ય ગુણ-પર્યાયવાળું હોય છે. Jain Education International For Personal & Private Use Only ૨૮૪ www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy