SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ, બીજ હોય તેમાં અનંતા વૃક્ષ ઉપજવાની છતી છે પણ ભૂ કહેતાં માટીમાં નાખે તથા જલ કહેતાં પાણી સીંચે, એવો સંયોગ મલે... તેવારેં પસરે-વધે એટલે માટી તથા પાણીના સંયોગે ઊગે-એ રીત છે. - જેમ, ઉપાદાન-ધર્મ તે નિમિત્ત-કારણ વિના પ્રગટે નહીં એ રીતે માહારી આત્મ-સંપદા યદ્યપિ સત્તારૂપે છતી છે પણ જેવારેં પ્રભુ શ્રી વીતરાગ દેવ શુદ્ધ-સ્વરૂપીનો યોગ મળે તેવારે પ્રગટે, તે આલંબી-તત્ત્વને આલંબને વર્તે તો તે નિપજે. એમ, મહારે આત્મા વિષે સત્તા સર્વ છે પણ શ્રી અરિહંતરૂપ નિમિત્ત મલે તેવારે સિદ્ધિ નીપજે. | ત તૃતીયTTયાર્થ: || ૩ || जगत जंतु कारज रुचिरेलाल, साधे उदय भाणरे,बालेसर। चिदानंद सुविलासतारे लाल, वाधे जितवर झाणरे बालेसरण તુઝ.ોકો अर्थ : जैसे जगत के सर्व जीव स्वकार्य करने की रूचिवाले होते हैं, परन्तु सूर्योदय का निमित्त मिलने से वे कार्य सिद्ध होते हैं, इसी तरह श्री जिनेश्वर भगवान के ध्यान से ही चिदानन्द-ज्ञानानन्द का विलास वृद्धि को प्राप्त होता है । અર્થ : જેમ જગતના સર્વ જીવો સ્વ-કાર્ય કરવાની રુચિવાળા હોય છે પરંતુ સૂર્યોદયનું નિમિત્ત મળવાથી તે કાર્ય સિદ્ધ થાય છે તેવી રીતે શ્રી જિનેશ્વર ભગવાનના ધ્યાનથી જ ચિદાનંદ-જ્ઞાનાનંદનો વિલાસ વૃદ્ધિ પામે છે. સ્વ. બાલાવબોધઃ સર્વ જગત્વાસી જીવ આહાર-વિષય-પરિગ્રહ મેલવવારૂપ કાર્યના રુચિ કહેતાં અભિલાષી છે એટલે પોત-પોતાના કાર્ય કરવા રૂપ પરિણામ સર્વ જીવોને છે પણ સૂર્ય-ઉદ્યોતરૂપ નિમિત્ત પામ્યા વિના કાર્ય કરી શકે નહીં. સૂર્ય-ઉદ્યોતરૂપ નિમિત્ત-કારણ પામે તેવારે સર્વ લોક કાર્ય કરવા લાગે-એ રીત પ્રગટ દેખાય છે. તેમ, માહારી આત્મા ચિ કહેતાં જ્ઞાન, આનંદ કહેતાં અવ્યાબાધ સુખ અથવા સકલ શેય-જ્ઞાયક્લારૂપ જે જ્ઞાન, તેહનો જે આનંદ તેને ચિદાનંદ કહિયેં, તેની સુવિલાસતા કહેતાં શુદ્ધપણે વિલાસ એટલે ભોગવવું તે આત્માનંદભોગીપણું, તે યદ્યપિ સત્તાને વિષે છતું છે તો પણ જેવારેં શ્રી જિનરાજનો વર કહેતાં પ્રધાન, અનુષ્ઠાન-દોષ તથા એકાંત-દોષ તથા અર્વાપત્તિ-દોષ રહિત ધ્યાન કરિયેં તે વારેં આત્માનંદ પ્રગટે. ઉપાદાન છે પણ હે પ્રભુ ! તમારા જેવું નિમિત્ત મલે પ્રગટ થાય માટે માહારે પ્રભુ સમા ઉપકારી કોઈ નહીં. તે કારણે હે પરમેશ્વર ! તાહરું દર્શન મને વ્હાલું છે. જે અનંતા ભવ ભમતાં ન પામ્યો તે જો મલે તો માહરું અંતરંગનું અસંતુ-અનંતા કાલનું દરિદ્ર જાય. उक्तं च - "नूनं न मोहतिमिरावृतलोचनेन, पूर्व विभो! सकृदपि प्रविलोकितोऽसि । મવિથો વિદુરનિ દિ માન:, પ્રોત્Hવસ્થાત: ક્રથમ ચર્થતે ? || 9 ||'' અર્થ : “હે પ્રભુ ! મોહ રૂપી અંધકારથી બિડાયેલા નેત્રવાળા એવા મારા વડે પૂર્વમાં એક વખત પણ તું જોવાયો નથી નહિતર પ્રકૃષ્ટ ઉદયને પ્રાપ્ત એવા કર્મ-બન્ધની પ્રવૃત્તિવાળા એવા આ મર્મભેદી અનર્થો(પાપ) મને કેવી રીતે પીડા કરી શકે ?'' એટલે પ્રભુનું દર્શન દુર્લભ છે. તે તેમની પ્રાપ્તિના અર્થી જે જીવ તેને ઈષ્ટ હોય. | ત વતુર્થTયાર્થઃ || 8 || www.janabrary.org Jain Education International For Personal & Private Use Only - ૧૪૫
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy