SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તથા, સ્વ ચારિત્ર ગુણે કરી આત્મા પોતાના ગુણને વિષે રમે છે અને અજીવ-દ્રવ્ય તે સ્વ-ધર્મે રમી શકતા નથી. તથા, આત્મા સ્વભાવ-ધર્મને ભોગવે છે તેથી સ્વરૂપાનુભવી છે. માટે, જે કર્તા હોય તે ભોક્તા હોય પણ જે કર્તા નથી તે ભોક્તા નથી. તેથી અનુભવ-ધર્મ તે આત્માને વિષે જ છે માટે જે કર્તા, જે જ્ઞાતા, જે ચારિત્રી, જે ભોક્તા, તે પ્રભુ કેતાં પરમેશ્વર જાણવો. એટલે, દર્શનાંતરી પરમેશ્વરને અકર્તા કહે છે, તે પણ મિથ્યા છે અથવા પરભાવના કર્તા કહે છે તે પણ મિથ્યા. કેમ ? જે પરમેશ્વર નિઃકર્મા તે સ્વભાવના કર્તા-સ્વભાવના ભોક્તા છે. હવે, એમ કહેતાં સંસારી તથા સિદ્ધ સર્વ જીવ પરમેશ્વરપણું પામે ? તે ઉપર કહે છે, તત્ત્વ કેતાં વસ્તુનો મૂલ ધર્મ, સ્વામિત્વ કહેતાં તેનું સ્વામિપણું તે પરમેશ્વરપણું, શુચિ કહેતાં પવિત્ર-કર્મરહિત-નિર્મલ, તત્ત્વસિદ્ધતાનું ધામ કહેતાં ઘર તે નિષ્પન્ન-સિદ્ધાવસ્થા, તે જ પરમેશ્વરપણું છે. બાકી, સર્વ સંસારી જીવ સત્તાયે પરમ ગુણી છે, પણ જેના ગુણ પ્રગટ થયા, તે પૂજ્ય જાણવા. માટે, શ્રી યશોવિજયજી ઉપાધ્યાયેં કહ્યું છે- || ગાથા || “જે જે અંશે રે નિરૂપાલિકપણું, તે તે કહીયે રે ધર્મ | સમ્યગુદષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ || ૧ ||* * માટે, જે પરમ-પૂજ્ય તે સિદ્ધ છે. || તિ માર્ચ | ૬ | जाव नवि पुयाही नैव युष्मान कदा, पुयालाधार नाही तास रंगी। पर तणो ईश नहिं अपर ऐश्वर्यता, वस्तुधर्मे कदा न परसंगी ॥ _ .lીધો . अर्थ : जीव पुद्गल नहीं है । अनन्तकाल से वह पुद्गल के साथ रहता हुआ भी पुद्गलरूप कभी नहीं बना । वह पुद्गलों का आधार भी नहीं । वह वास्तव में तो पुद्गल का रंगी-अनुरागी भी नहीं । वह परभाव रूप शरीर, धन, गृहादि का स्वामी भी नहीं । जीव की ऐश्वर्यता परपदार्थो के कारण नहीं है । वस्तुत: जीव परभाव का संगी भी नहीं । जीव द्रव्य का सत्ता-धर्म इसी प्रकार का है। | અર્થ : જીવ એ પુદગલ નથી. અનંતકાળથી તે પુગલ સાથે રહેવા છતાં પુદગલરૂપ કદાપિ બન્યો નથી. પુદગલોનો એ આધાર પણ નથી તેમ જ (વસ્તુ-સ્વરૂપે) એ પુદ્ગલનો રંગી-અનુરાગી પણ નથી. તથા, પર-ભાવરૂપ આ શરીર-ધન-ગૃહાદિનો સ્વામી પણ નથી તથા જીવની એશ્વર્યતા પર-પદાર્થોને લઈને નથી તેમ જ વસ્તુ-સ્વરૂપે જીવ પર-ભાવનો સંગી પણ નથી. જીવ દ્રવ્યનો સત્તા-ધર્મ આવા જ પ્રકારનો છે. સ્વો, બાલાવબોધ : હવે, જીવનો જે મૂલ-ધર્મ છે તે શ્રી અરિહંતનું સ્વરૂપ છે. તે શ્રી સુમતિનાથ અરિહંતને નિપજ્યાં છે. તે કહે છે જે-જીવ નવિ પુગ્ગલી કહેતાં જીવ તે કોઈ વારૈ પુદ્ગલી નથી. અનંતો કાલ સંસારાવસ્થાથૈ પુદ્ગલથી એકઠો રહ્યો પણ કેવારે પુદ્ગલરૂપ થયો નહીં તથા જીવ તે પુદ્ગલનો આધાર નથી. કારણ ? જે ક્ષેત્રી-દ્રવ્ય તો આકાશ છે. ધર્મ-અધર્મ-જીવ-પુદગલ એ સર્વ આકાશ-દ્રવ્ય મધ્યે રહ્યાં છે પણ જીવના પ્રદેશું પુદ્ગલનું રહેવું તે જીવની ભાવ-અશુદ્ધતાથી થયું છે. For Per 926 Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy