________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૨૩ આપતી હતી. તમે જાઓ છો તો જીતનું નિશાન ચઢાવજો. ધ્વજ ફરકાવજો, ધ્વજ લહેરાવજો. શું કરીને ? મોહને ચકચૂર કરી, તમે તમારું વિજય નિશાન, વિજય ડંકો વગાડજો. સંવત્સરી દાનથી જેમ દુનિયાનું દારિદ્ર દૂર કર્યું તેમ તમે પણ તમારું દારિદ્ર દૂર કરી મોક્ષ પ્રાપ્ત કરજો. આવા આશીર્વાદ કુળની વૃધ્ધ સ્ત્રીઓ આપતી હતી. અમે પણ એ જ આશિષ આપીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ જીત નિશાન વગાડશો, મોહને ચકચૂર કરજો અને મોક્ષ પ્રાપ્ત કરજો. - ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org