SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૯મી ગાથામાં સમાપનનાં સૂત્રો છે. છેલ્લી ભલામણ થતી હોય તેમ જ્ઞાની પુરુષ ભલામણ કરી રહ્યા છે. મુમુક્ષુને આત્મજ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ જ્ઞાન કેવું હોય અને કેવી રીતે પ્રાપ્ત થાય તેની સ્પષ્ટતા ૧૩૯મી ગાથામાં છે. મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ અને ૧૪૦ ગાથામાં જ્ઞાનીની દશા કેવી હોય ? તેનું વર્ણન છે. છ પદની વાત સાંભળી, કયાં ઠરવાનું છે તે હવે પછીની ગાથામાં વાત કરશે. છેલ્લી ગાથામાં દેહાતીત અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેને ભાવપૂવર્ક વંદન કરશે. આ રીતે આત્મસિદ્ધિની ગાથાઓનું સમાપન થશે. ઘણા લોકો કહે છે કે અમે સમયસાર, નિયમસાર આત્મસિધ્ધિ વાંચી, બધું કંઠસ્થ છે. આ બધું ભલે વાંચ્યું પણ મોહ ગયો કે છે? પાછો એમ કહે કે દીકરો મને સારી રીતે રાખતો નથી. મોહ ગયો હોય તો આવું તેને લાગે નહિ. આ બંને વાતનો મેળ પડતો નથી. જેટલા પ્રમાણમાં મોહ તેટલા પ્રમાણમાં અજ્ઞાન. આવું સીધું અને સ્પષ્ટ ગણિત ૧૩૯-૧૪૦મી ગાથામાં પરમકૃપાળુ દેવે આપ્યું છે અને જ્ઞાનીની દશાનું વર્ણન પણ આ છેલ્લી ગાથાઓમાં છે. આવા જ્ઞાનીના ચરણમાં ન ગણી શકાય તેટલાં અમારાં વંદન છે. આમ અદ્દભુત ગાથાનું સમાપન થશે. છેવટે એક પુરુષની વાત કરે છે જે દેહાતીત અવસ્થામાં જીવે છે, આ ધરતી ઉપર છે, આપણી વચ્ચે છે, દેહમાં છે છતાં દેહથી અને આપણાથી સાવ જુદો રહે તેવી રીતે જીવવું તે અદ્દભુત, આશ્ચર્ય છે. આવું જીવન જે જીવે છે તેને કહેવાય છે જ્ઞાની. આવાં સમાપનનાં સૂત્રો છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005523
Book TitleAtmasiddhishastra Part 03
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2013
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy