________________
३४४
પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા માંક-૧૩૫ ચાલે અને નિમિત્ત વગર પણ ન ચાલે. કોઈ ઝાડ એવું છે કે જમીન વગર ઊગ્યું હોય? ગ્રેનાઈટ ઉપર બીજ મૂકયું અને ઊગી ગયું? અરે ખેતર જોઈએ. ખાતર જોઇએ, ખેડવું પડે, પાણી નાખવું પડે આ બધા સહાયક પરિબળો છે, માટી તો પડી છે પણ એની મેળે ઘડો થઈ જાય ? જો પડ્યો પડ્યો ઘડો થઈ જતો હોય તો કુંભારની પણ જરૂર નહીં અને માટી લાવવા ગધેડાની પણ જરૂર નહિ. દંડ અને ચાકની પણ જરૂર નહિ. બહેનોને કેટલી નિરાંત લાગે જો ઘઉંમાંથી રોટલી એની મેળે થઈ જતી હોય તો. દાળ અને ભાત પણ એની મેળે થઈ જાય તો કેવું સારું ? પછી તો ખાવાનું જ રહેને ? પણ આવું ન થાય. બે કારણો સાથે છે. ઉપાદાન અને નિમિત્ત. બે સૂત્રો છૂટા ન પાડશો. તેની ચર્ચા આવતીકાલે પછીના પ્રવચનમાં થશે.
આજનું સૂત્ર “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય'. જો તમે સમજ્યા હો તો મને કહો. જો સમજ્યા હો તો કામકાજ ચાલું. શેના માટે ? સિદ્ધ થવા માટે. હવે જેટલા વર્ષો રહ્યાં તેમાં બીજો કાર્યક્રમ નથી. આ સિદ્ધ થવાનો કાર્યક્રમ ચાલુ. બાકી રહેશે તે આવતા જનમમાં. અમારે તો સિદ્ધ થવું જ છે. તેવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય તેના માટે બે કારણો સદ્ગુરુ આજ્ઞા અને જિનદશા, આ બંને તમારા સૌના જીવનમાં પ્રાપ્ત થાઓ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org