________________
21
પંચમ પદ “મોક્ષ છે' વિશે પ્રશ્નો જેમ જેમ શિષ્ય શ્રીગુરુનાં વચનામૃત વાગોળતો જાય છે, તેમ તેમ તેની વિવેકશક્તિ વધતી જાય છે અને પરિણામે તેને તત્ત્વનાં ગૂઢ રહસ્યો સમજાતાં જાય છે. પરમકૃપાળુદેવે મોક્ષ પદને નહીં સ્વીકારનાર પૂર્વ મીમાંસા દર્શનની પ્રચલિત દલીલને તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે.
પ્રશ્ન - ૧ આત્માનું કર્તુત્વ અને ભોક્તત્વ દઢપણે ભાસે છે; પરંતુ અનંતકાળ વીત્યા છતાં કર્મબંધ થવામાં કારણભૂત એવા રાગ-દ્વેષ આદિ જે દોષો આત્મામાં છે, તે હજુ ટળ્યા ન હોવાથી જીવને કર્મબંધનથી નિવૃત્ત થવારૂપ મોક્ષ હોય એમ ભાસતું નથી.
પ્રશ્ન - ૨ જીવ અનંતકાળથી શુભાશુભ પરિણામ કર્યા જ કરે છે. જો તે શુભ કર્મ કરે તો તે દેવાદિ ગતિમાં પુણ્યરૂપ શુભ ફળ ભોગવે છે અને જો અશુભ કર્મ કરે તો તે નરકાદિ ગતિમાં પાપરૂપ અશુભ ફળ ભોગવે છે. ચારે ગતિમાં ફરતો જીવ કમરહિત દેખાતો નથી, તેથી જીવનો સર્વ કર્મના સંગથી રહિત એવો મોક્ષ થવો સંભવિત લાગતો નથી.
આ બધા પ્રશ્નોનું વિગતવાર સ્વરૂપ અને શ્રી સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવા આ ગ્રંથનું સાધંત અવગાહન કરવું જ રહ્યું.
ષષ્ઠમ્ પદ : “મોક્ષનો ઉપાય છે? -વિષે પ્રશ્નો
તીવ્ર જિજ્ઞાસા અને અદમ્ય ઉત્સાહથી શિષ્યના સંશયો શ્રી ગુરુના પવિત્ર સત્સંગ દ્વારા ટળતા જાય છે અને સમ્યજ્ઞાનનો ઉદય થતો જાય છે. પરમ કૃપાળુ દેવે મોક્ષ પદને નહિ સ્વીકારનાર પૂર્વ મિમાંસા દર્શનની પ્રચલિત દલીલને, તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસા રૂપે મુકી છે.
પ્રશ્ન - ૧ શિષ્યને શંકા થાય છે કે કર્મો તો અનંતકાળથી થયાં જ કરે છે અને મનુષ્યનું આયુષ્ય તો ઘણું ઓછું છે. અનંતકાળથી બાંધેલા અનંતકર્મો અલ્પ આયુષ્યવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org