________________
૨૩૮
પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્યાંક-૧૧૬ તમે મોક્ષ સ્વરૂપ છો. આમ તમારાં ગીત જ્ઞાની ગાય છે.
કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું કે અમે તારો નિજ વૈભવ બતાવવા આવ્યા છીએ. આનંદથી એક વખત તો હા પાડ કે અમે આત્મા છીએ. અમે મોક્ષસ્વરૂપ છીએ. અમે અનંતજ્ઞાન, અનંતદર્શન, અને અનંત સુખ અને અનંત આનંદ સ્વરૂપ છીએ. આ સત્ય છે, તથ્ય છે, આ વાસ્તવિક્તા છે. જ્ઞાની પુરુષ કહે છે કે એક વખત આવી વાસ્તવિક્તાનો સ્વીકાર કરી લે. આનંદથી એક વખત કહો કે હા, અમે આત્મા છીએ.
૧૧૬મી ગાથાના સંદર્ભમાં ૧૧૭મી ગાથા છે. ૧૧૭મી ગાથામાં થોડા શબ્દો છે જેમાં આત્માનું વર્ણન છે. અસલમાં આત્મા કેવો છે ! થોડા શબ્દો કહ્યા, પછી થાકીને કહ્યું કે હવે કેટલું કહીએ ? હવે તારા ઉપર છોડીએ છીએ. “કર વિચાર તો પામ.” આવી અદ્ભુત ગાથા ૧૧૭મી છે. આગળ આ ગાથાનો પ્રારંભ કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org