SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 24 શંકાઓ શિષ્યની અને સમાધાન સદ્ગુરુ પાસેથી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ.પૂ. ગુરુજીએ અત્યંત ગંભીર પ્રવચનો આપ્યાં છે. આ પ્રવચનોમાં શિષ્ય મારફત ષટ્પદ ઉપર થતી શંકાઓ અને તેના સમાધાન સ્વરૂપ સમ્યક્ સમજણ સદ્ગુરુ મારફત સંવાદરૂપે આપેલ છે. આત્મજિજ્ઞાસુ સાધકને આત્મદર્શનની સમસ્યાઓના સમાધાન અર્થે આ ગ્રંથ અત્યંત ઉપયોગી નિવડશે. શિષ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નો નીચે મુજબ છે. પ્રથમ પદ ‘આત્મા છે' વિશે પ્રશ્નો આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચાર્વાક મતની પ્રચલિત દલીલો, તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની શંકારૂપે - જિજ્ઞાસારૂપે જણાવે છે. પ્રશ્ન - ૧ હે ગુરુદેવ નેત્રો દ્વારા આત્મા દૃષ્ટિગોચર થતો નથી તેમજ બાકીની સ્પર્શદિ ઈન્દ્રિયોથી પણ તે અનુભવાતો નથી. આમ આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. પ્રશ્ન - ૨ દેહ, ઈન્દ્રિયો અને પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું એંધાણ, કોઈ જુદું ચિહ્ન દેખાતું નથી. પ્રશ્ન ઘટ-પટાદિ અર્થાત્ ઘડો, વસ્ત્ર આદિ તમામ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો તે શા માટે જણાતો નથી ? - 3 Jain Education International પ્રશ્ન - ૪ આમ જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોને થાય અને મોક્ષ કોનો થાય ? એટલે મોક્ષના ઉપાય કરવા તે ફોકટ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005523
Book TitleAtmasiddhishastra Part 03
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2013
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy