________________
૧૯૮
પ્રવચન ક્રમાંક – ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ (સાયિક ભાવનું) કહ્યું છે, તેના પરિણામે એ વીતરાગ દશા પ્રાપ્ત કરે.
આ ૧૧૨મી ગાથા અહીં સુધી પહોંચાડે છે. સમ્યગ્દર્શનથી પ્રારંભ થાય અને વીતરાગ અવસ્થામાં તેની સમાપ્તિ થાય. વીતરાગ બન્યા સિવાય જંપીને બેસવું નથી, તેવો નિર્ણય સમ્યગ્રષ્ટિ જીવે કરી લીધો છે. સમ્યગ્દષ્ટિને પરિપૂર્ણતા જોઈએ છે. સમ્યગ્દષ્ટિ ઓછામાં રાજી નથી. સંપૂર્ણપણે કર્મનો ક્ષય થાય ત્યારે પરિપૂર્ણતા પ્રગટે.
ફરીથી યાદ કરીએ કે ૪૮ મિનિટ સતત આત્મામાં સ્થિર રહે તો તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. બધા ધાતિકર્મોનો ક્ષય થાય છે.
આગળ ૧૧૩મી ગાથામાં કેવળજ્ઞાનની ગંભીર ચર્ચા થશે. ઘણા લોકો કહે છે કે કેવળજ્ઞાન હોઈ શકે નહિ. કોઈ કહે છે કેવળજ્ઞાન આવું હોય. અજ્ઞાનીની વ્યાખ્યા સાચી ન હોય. કેવળજ્ઞાનનું એક વિશેષ સ્વરૂપ ૧૧૩મી ગાથામાં પરમકૃપાળુદેવ પ્રગટ કરવાના છે. એટલા માટે ૧૧૩મી ગાથા પણ અદ્ભુત છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org