SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્લેટોને પ્રથમ ખંડમાં દર્શાવવામાં આવી છે. બીજા ખંડમાં સસાધના દ્વારા આત્માર્થી સાધક આત્મજ્ઞાન અને આત્મશાંતિ પામે એ હેતુસર પરમતત્ત્વવેતા, અધ્યાત્મયોગી, જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન દર્શનને આલેખેલ છે. અને ત્રીજા ખંડમાં વેદ ઉપર આધારિત ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વ મિમાંસા-ઉત્તર મિમાંસા (વેદાંત) દર્શનો અને વેદ ઉપર આધારિત ન હોય તેવા ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો ઉપરની વિચારણા તથા ભારતના મહાન સંતો દાર્શનિકોના જીવનચરિત્ર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવેલ છે. પ.પૂ. ગુરુજી દ્વારા ૧૯૬૮ માં સ્થપાયેલ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણમાં પૂ.ગુરુજીના આધ્યાત્મિક પ્રવચનો, ચાતુર્માસ દરમ્યાન જ્ઞાન યજ્ઞો, સંતો-વિદ્વાનોના પ્રવચનોનું આયોજન થાય છે. અને સાધકને આત્મકલ્યાણ અર્થે પ્રેરણા, માર્ગદર્શન અને આત્મબોધ મળે છે. ૩૪ ચાતુર્માસ પ્રવચનમાળાઓ થઈ. ૩૬ પુસ્તકોનું પ્રકાશન અને દર ત્રણ મહિને આશ્રમનું મુખપત્ર “પરમ તત્ત્વ'નું પ્રકાશન ધર્મપ્રેમી જનતાને અધ્યાત્મના પીયૂષ પીવડાવે છે. પૂ.ગુરુજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમ્ય જ્ઞાન પ્રસારણ યોજના, સદ્ભુત અભ્યાસ વર્તુળ અને શ્રી ગુરુવાણી, આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન અને ઓડિયો-વિડીયો સી.ડી. તૈયાર કરે છે. પૂ.ગુરુજીમાં સાધુની સાધુતા ને સંતનું સંતત્વ છે. તેઓ સમાધિના સુંદરેશ્વર છે, મૌનના મુનિ, યોગના યોગેશ્વર, પ્રેમનું પૂર્ણ સ્વરૂપ અને સત્યનું સત્ત્વ છે. તેઓ કૃપાના સાગર, જ્ઞાનની સરસ્વતી, ભક્તિની યમુના અને અધ્યાત્મની ગંગા છે. પ.પૂ.ગુરુજીની દિવ્યસાધનાથી પવિત્ર બનેલી આ તપોભૂમિ સાધકોની શ્રદ્ધાનું કેન્દ્ર તથા માનવીય ગરિમાનું ક્ષેત્ર છે. અધ્યાત્મનું અરણ્ય અને અમૃતનું સરોવર છે. આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના ઝળહળતા પ્રકાશથી સનાતન મોક્ષમાર્ગ અને વીતરાગતાને ઉદ્યોત કરનાર પૂ.ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબ માનવતાના મસીહા છે, એવા પ્રેમસ્વરૂપ, કરુણામૂર્તિ પ.પૂ. ગુરુજીને કોટિ કોટિ પ્રણામ. ડૉ. એસ.ટી. કોટક (ડીસા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005522
Book TitleAtmasiddhishastra Part 02
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2012
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy