SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ જ્ઞાની પુરુષ એમ કહે છે કે આત્મ અનુભવ થશે પછી મન સ્થિર થશે. મનને સ્થિર કરવા અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. પીપળનું પાન પવનનું એક ઝોકું આવે ત્યાં હાલતું થઈ જાય તેમ આપણે પણ ““નમો અરિહંતાણં' બોલીએ અને એક ધક્કો લાગે તો નમો સિદ્ધાણં બોલી શકતા નથી. નમો અરિહંતાણ અને નમો સિદ્ધાણં વચ્ચે પણ આટલું અંતર પડી જાય છે. ચિદાનંદજી કહે છે, “વેદ ભણ્યા, શાસ્ત્રો ભણ્યાં, ઉપનિષદ ભણ્યા આગળ વધીને એમ કહો કે નવ પૂર્વો પણ ભણ્યાં, પણ ભેદજ્ઞાન નથી, શરીર અને આત્મા જુદો છે, જડ અને ચેતન જુદાં છે એવો અનુભવ નથી ત્યાં સુધી પોથી જ્ઞાન સાર્થક થતું નથી.' ભેદજ્ઞાન થાય, અનુભવ થાય તે મહત્ત્વની ઘટના છે માટે શિષ્ય કહ્યું કે ષસ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. એ ઉપકારનો બદલો પ્રભુ અમે કેવી રીતે વાળીશું? તમારા ચરણોમાં રત્નના ઢગલા મૂકીએ, ઈન્દ્રનું ઈન્દ્રાસન મૂકીએ કે તમારા ચરણોમાં ચક્રવર્તીની સંપત્તિ મૂકીએ તો પણ ગુરુદેવ! તમે જે આપ્યું છે તેનો બદલો અમે તમને નહિ આપી શકીએ. તમે અમને અમારો ખજાનો આપ્યો છે, અમારો વૈભવ તમે અમને આપ્યો છે. કુંદકુંદાચાર્યજી બહુ આનંદ અને ઉલ્લાસમાં આવીને કહે છે કે, અમે તમને જે કહી રહ્યા છીએ તે તમારા વૈભવ વિશે કહી રહ્યા છીએ. તમે જાણો તો ખરા. સંતો ગમે ત્યાંથી બોલે છે. રણકો તો એ જ આવશે ને? “નિશ્ચય સર્વ જ્ઞાનીનો અત્રે આવી સમાય', ઉત્તર પ્રદેશમાં બોલે કે દક્ષિણ ભારતમાં બોલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બોલે, કબીર બોલે કે મીરાં બોલે કે આનંદધનજી બોલે. જેમને અનુભવ થયો છે, એમની વાણી જ અદ્ભુત છે તેમની વાત જ અદ્ભુત છે. નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી.” તારી પ્રભુતા તારા ઘરમાં છે. તું ઓળખતો ખરો ! પદ્મનંદી આચાર્ય પંચવિંશતિની ટીકામાં એમ કહે છે કે તત્પતિ પ્રતિવર્તન વાર્તાપિરિશ્રુતા' ભાઈ આત્મા પ્રત્યે પ્રીતિયુક્ત ચિત્ત વડે જેણે તેની વાર્તા પણ સાંભળી છે તે જીવ નિશ્ચ ભવ્ય છે. ભગવદ્ ગીતામાં કહ્યું કે, __ आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवच्चैनमन्यः शृणोति, श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ।। (२/२९) કોઈ આશ્ચર્યવતુ તેને જુએ છે, કોઈ આશ્ચર્યવતુ તેને વર્ણવે છે, બીજો કોઈ આશ્ચર્ય મુગ્ધ બની તેને સાંભળે છે, પણ કોઈક વિરલા જ તેનો અનુભવ કરે છે, અને જેમણે એનો અનુભવ થયો તે આનંદધનજીએ ગાયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy