SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા. અનુભવ જેને થયો તેને આવું કીર્તન થાય, એ બદલાઈ જાય, એની આવી અવસ્થા થાય. એની વાણી જુદી, એનું વર્તન જુદું, એનું હૃદય જુદું, બધું બદલાઈ જાય. પારસમણિ લોઢાને અડે છે તો તે ક્ષણે જ લોઢું આખું સોનું થઈ જાય છે. પચાસ ટકા થાય, તેમ નહિ, થાય તો સો ટકા. એક વખત જેને અનુભવ થાય તેની આખી ચેતના બદલાઈ જાય, એનું રૂપાંતર થાય. શરીર એનું એ રહે પણ એ બદલાઈ જાય. માંહ્યલો જ્યારે બદલાય ત્યારે અવસ્થા જુદી થઈ જાય. ઓળખી લો, તમારો ખજાનો જુદો છે, તમારી સંપત્તિ જુદી છે. યશોવિજયજી મહારાજે કહ્યું, “પ્રભુ મેરો! તું સબ બાતે પૂરો.” જુઓ, સંતો કેવું બોલ્યા છે! આ પૂરો શબ્દ બે અર્થમાં વપરાય છે. તું બધી વાતે પૂરો છે. તેનો અર્થ જુદો થાય, અહીં તે અર્થ નથી. “પ્રભુ મેરો, તું સબ બાતે પૂરો.” તારી પાસે શું ઓછું છે? વીતરાગ પુરુષ પાસે જે છે તે તારી પાસે છે. તું સિદ્ધના જેવો છે. તારામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત વીર્ય છે, અનંત ગુણો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ ને અગુરુલઘુત્વ વિગેરે સામાન્ય ધર્મો છે. અનંતજ્ઞાન, દર્શનનો ભંડાર તું છો. આનંદથી છલકતો તું છો. તે બધી વાતે પૂરો (પૂર્ણ) છો પણ તને ખબર નથી. બસ, સંતોનું આ કામ છે. તેઓ ખબર આપવા આવ્યા છે. તમારો માલ ઓળખાવવા માં આવ્યા છે, તમારો ખજાનો તમને બતાવશે, આવો અદ્ભુત ખજાનો તારી પાસે છે. નિજ ઘરમે હે પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાઓ, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગ્રહીએ આપ સ્વભાવો. આવા સ્વભાવનો જેને અનુભવ થયો છે તે અનુભવ જ્ઞાની. શાસ્ત્રો અને જ્ઞાની કહે છે. આવી આત્માની વાત જેણે જાણી છે, શાસ્ત્રોમાં જેણે વાંચી છે, બુદ્ધિનો ક્ષયોપશમ છે, સ્મૃતિ તીવ્ર છે, શાસ્ત્રો કંઠસ્થ કર્યા છે, અનુભવ કર્યો નથી પણ બીજાને કહે છે, એને કહેવાય છે શુષ્કજ્ઞાની. એને વધુ કહેવાનું મન થાય. અનુભવ જ્ઞાનીને બહુ કહેવાનું મન ન થાય એટલે પ્રસંગ આવે તો જ બોલે. કોઈ મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય તો જ વાત કરે. શાસ્ત્રો જાણવાં, વાંચવાં, બોલવા, ચર્ચા કરવી, વાદવિવાદ કરવો, મતમતાંતર ઊભાં કરવાં, બ્રહ્મજ્ઞાનની વાતો કરવી, જગત મિથ્યા છે તેની વાત કરવી પણ જીવનમાં જે જીવતો નથી અને સાધનાનો રસ જેને નથી તેવા પંડિતને કહેવાય છે શુષ્કજ્ઞાની. ટાગોરજી બહુ જબરો કટાક્ષ કરતાં હતાં. એ એમ કહેતાં હતાં કે વેદાંતીઓ અને પંડિતો જ્યારે ભેગા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy