SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫O પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૫ થાય ત્યારે કોઈ એમ કહે કે અમે ચાર વેદ મોઢે કર્યા છે, કોઈ કહેશે અમે ત્રણ, કોઈ કહેશે અમે ઉપનિષદ મોઢે કર્યું છે, કોઈ કહેશે મહાભારત મોઢે કર્યું છે, કોઈ કહે કે ભાગવત અમે પી ગયા છીએ, આવા મોટા મોટા પંડિત ભેગા થાય ને કલાકો સુધી ચર્ચા કરે, તર્ક વિતર્ક કરે, અને વાદ વિવાદ કરે, અને પછી વચમાં કોઈ પંડિતની છીંકણીની ડાબલી ખોવાઈ જાય તો ટાગોરજી કહે કે તે આખું ઘર માથે લે છે. ટાગોરજી પૂછે છે, “અલ્યા! આખું જગત મિથ્યા અને તારી છીંકણીની ડાબલી મિથ્યા નહીં !' ક્યા બાત હૈ! તમે દેરાસરમાં ગયા હો, નવા ચપ્પલ પહેર્યા હોય, દર્શન કરતાં કરતાં નજર તો નાખી જ લ્યો છો ને? હું તો મઝાકમાં કહું છું કે દેરાસરમાં જાઓ કે પ્રવચન સાંભળવા જાઓ ત્યારે ફાટેલા, જૂનાં સ્લીપર જ લઈને જજો. અંદર સ્લીપરનો મોહ છૂટ્યો નથી તો સંસારનો મોહ કેમ છૂટશે? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી. મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો ન હોવાને કારણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને જ્ઞાનીઓ જ્ઞાન કહેતાં નથી પણ અજ્ઞાન કહે છે. અભુત વાત છે. ઈશાવાસ્ય ઉપનિષમાં ઋષિ એમ કહે છે કે વિદ્યાં વાવિદ્યાં યસ્તત્વેનોમયે સE! अविद्यया मृत्यु तीा विद्ययामृतमश्नुते ॥ ११॥ જગતમાં બે વિદ્યાઓ છે, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા એટલે આત્મજ્ઞાન અને અવિદ્યા એટલે વિજ્ઞાન, વિજ્ઞાન તમારી ભૌતિક મુશ્કેલીઓ દૂર કરશે, પણ તમને અમૃતની પ્રાપ્તિ નહિ કરાવે. વિદ્યા પ્રાપ્ત થાય એટલે તમારા હૃદયમાં પ્રેમ ઊભરાય, સ્નેહ ઊભરાય, બધાં સાથે મૈત્રી થાય, કરુણા ઊભરાય, તમે શાણા બનો, શાંત બનો, સ્વસ્થ બનો, તમને સમતા પ્રાપ્ત થાય. તમે ઉદાર બનો, સહિષ્ણુ બનો, તમારામાં સહાનુભૂતિ આવે, સહકારની ભાવના આવે, તમે પરોપકારી બનો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રાપ્ત થાય તેને જ્ઞાન કહેતાં નથી પણ અજ્ઞાન કહેવાય છે. પરમકૃપાળુ દેવે આ વાત આના કરતાં વધુ સ્પષ્ટ શબ્દોમાં કહી. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિ. નવ પૂર્વ ભણ્યો પણ જીવને જાણ્યો નહિ, મૂળ મુદ્દો જ રહી ગયો. આખી જાન મુંબઈ આવી પછી ખબર પડી કે વરરાજા અમદાવાદ રહી ગયા છે. વર વિનાની જાન શા કામની? એકડા વિનાના મીંડા શા કામના? જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે આત્મસિદ્ધિમાં આત્મા શબ્દ આવ્યો, સૂયડાંગમાં આત્મા શબ્દ આવ્યો, તો નવપૂર્વમાં કોઈ ઠેકાણે આત્મા શબ્દ નહિ આવ્યો હોય? નવપૂર્વ જે ભણ્યો છે તેણે આત્મા શબ્દ નહિ જામ્યો હોય? નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy