SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વાંચ્યો કે નહિ સાંભળ્યો હોય? તેણે વાંચ્યો છે, જાણ્યો છે પણ માણ્યો નથી, અનુભવ થયો નથી. આત્મા છે, બ્રહ્મ છે, માયાથી ભિન્ન છે, જગત મિથ્યા છે, સંસાર નાશવંત છે, આમ બધી વાત કરે પણ ભીતર કુછ નહિ, આને કહેવાય શુષ્કજ્ઞાની. નવપૂર્ણ ભણ્યો હોય તો પણ અજ્ઞાની કેમકે તેણે આત્માને અનુભવ્યો નથી. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. તેનાથી ઉચ્ચ બુદ્ધિમત્તા પ્રાપ્ત થાય. તમે વૈજ્ઞાનિક બનો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, મોટા ઉદ્યોગપતિ બનો, આઈનસ્ટાઈન બનો, અમેરિકાના પ્રમુખ બનો, હિંદુસ્તાનના વડાપ્રધાન બનો પણ જ્ઞાની નહિ. જ્ઞાની ત્યારે બનાય કે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય તો. બહુ અભુત વાત છે. જ્ઞાન મેળવ્યું પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી. મોહનીય કર્મના ક્ષયોપશમથી અંદરમાં જે બોધ પ્રગટ થાય છે તેને કહેવાય છે અનુભવ. સાહેબ ! યાદ રાખજો કે જ્ઞાન બહારથી આવતું નથી પણ જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. “ભીતર સે આતી હૈ જ્ઞાન કી ધારા.” બહારથી નહિ. જ્ઞાન તો આત્મામાંથી આવશે. શરીરમાંથી કે ઈન્દ્રિયોમાંથી નહિ આવે, પુસ્તકમાંથી નહિ આવે. કૂવાનું પાણી કૂવાના તળિયામાંથી આવે છે પણ ટાંકામાં પાણી બહારથી ભરવું પડે અને ટાંકુ એક લાખ ગેલનથી છલોછલ ભર્યું હોય પણ જો કોકનળ ખુલ્લો રહી ગયો હોય તો ટાંકુ ખાલી થઈ જાય પણ કૂવામાંથી પાણી ઉલેચે જ જાવ, પાણી આવ્યા જ કરશે, કૂવો ખાલી નહિ થાય. આ ક્ષયોપશમ થયા પછી જ્ઞાન અંદરથી બહાર ઊભરાય છે, કારણ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, અને જ્ઞાન અનંત છે, ઓછું નથી. જ્ઞાની પુરુષ પાસે અનંત સિવાય વાત જ નથી. જ્ઞાન પણ અનંત, દર્શન પણ અનંત, ચારિત્ર પણ અનંત અને સુખ પણ અનંત. તમારી પરિભાષામાં દુ:ખ અનંત, અમારી પરિભાષામાં સુખ અનંત. અનંત એટલે ખૂટે જ નહિ. સિદ્ધ ભગવાન સિદ્ધ શીલામાં આનંદ અનુભવતાં હશે તો આનંદ ક્યારેક તો ખૂટતો હશે ને? ના. અનંતકાળ હોવા છતાં તેઓને આનંદ, આનંદને આનંદ જ છે. અનંતકાળ ભોગવવા છતાં, એક અંશ પણ આનંદ ઓછો ન થાય. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારની વાતો આવે છે તે સમજી લઈએ. વસ્તુત્વ, અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, એને સમજવાની શૈલી જુદી જુદી છે, પરિપાટી જુદી જુદી છે, એક વાત. બીજી વાત વસ્તુ સ્વયં સંપૂર્ણ છે. એક પરમાણુ પણ તેની કેટેગરીમાં સંપૂર્ણ, એક આત્મા તેની કેટેગરીમાં સંપૂર્ણ, એક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તેની કેટેગરીમાં સંપૂર્ણ, એક નિગોદમાં રહેલો જીવ તેની કેટેગરીમાં સંપૂર્ણ છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં એક સૂત્ર આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy