SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ ॐ पूर्णमदः पूर्णमिदं पूणात् पुर्णमदुच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. ‘તમ પૂર્ણ, યમપૂર્ણ’ પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ પૂર્ણને પૂર્ણથી ભાગો તો પણ પૂર્ણ. અદ્ભુત વાત છે. આ તત્ત્વ આખું પૂર્ણ છે. શેના તમે દુઃખી થાવ છો? અને શેનાં તમે રોદણાં રડો છો? દુઃખી થવા જેવું છે નહિ, રોદણાં રડવા જેવું છે નહિ. થોડા જાડાં કપડાં પહેરવા પડે તો ભલે, લુખ્ખો રોટલો ખાવા મળે તો ભલે મળે, નાના મકાનમાં રહેવાનું હોય તો ભલે, પણ અંદરથી પૂર્ણ પુણીયા શ્રાવકને જેવી સમાધિ હતી, તેને જેવી શાંતિ અને સુખ હતું, તે મગધના સમ્રાટ શ્રેણિક મહારાજને પણ ન હતું. એક વૃક્ષ નીચે ઊભેલો મુનિ, જેના શરીર ઉપર લજ્જા ઢાંકવા કપડું પણ નથી, ઊભાં છે, ઉપર આકાશ છે, નીચે ધરતી છે. ઉનાળો છે, ગરમી છે, ધગધગતો તાપ પડે છે, છતાં એ મુનિ જેવા સુખી છે તેના જેવું કોઈ સુખી નથી. છ ખંડના ચક્રવર્તીને પણ તેવું સુખ નથી. આ અનુભવની વાત છે. આત્મા સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે તેને દ્રવ્ય પણ કહે છે. દ્રવ્ય એકલું નથી, ગુણ પર્યાયની સાથે છે. તત્ત્વાર્થાધિગમમાં એક સૂત્ર છે. કુપર્યાયવદ્રવ્યમ્ દ્રવ્ય એને કહેવાય છે કે જે ગુણ પર્યાયથી ભરેલ છે. દ્રવ્ય સાથે સહભાવી ધર્મ તે ગુણ છે અને ક્રમભાવી ધર્મ તે પર્યાય છે. દ્રવ્ય નિત્ય છે, ગુણ નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. આત્મા સતુ છે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં સની વ્યાખ્યા કરી “ઉત્પા-વ્યય-ધ્રૌવ્ય-યુક્ત સત’’ આ સત્ જે છે તે ઉત્પાદવ્યય અને ધ્રુવથી યુક્ત છે. ધ્રુવ એટલે શાશ્વત, કાયમ, નિત્ય, ક્યારેય નષ્ટ ન થાય તેવું. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નષ્ટ થવું. પર્યાયમાં ઉત્પાદ્વ્ય ય થાય છે. ધ્રુવના (દ્રવ્યના) પડખેથી પણ જોવાય અને પર્યાયના પડખેથી પણ જોવાય. ઉત્પન્ન થવું, નાશ પામવું અને ટકીને બદલાવું “તક્રિાવાવ્યયે નિત્યમ્ ” એ ટકીને બદલાય છે. વસ્તુ તરફ જોવાની બે રીત છે. ધ્રુવના પડખેથી જોવે એવી દૃષ્ટિને કહેવાય છે દ્રવ્યાર્થિકનય અને પર્યાયની દૃષ્ટિથી જોવે તેને કહેવાય છે. પર્યાયાર્થિક નય. જૈન દર્શનમાં બે નય છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય, નિશ્ચયનય અને વ્યવહારનય. ત્રિકાળ અવસ્થાને જોવી એને દ્રવ્યાર્થિક નય કહે છે અને વર્તમાન અવસ્થાને જોવી તેને પર્યાયાર્થિક નય કહે છે. આ વાત એટલા માટે કરી કે શુષ્કજ્ઞાની ધ્રુવ તરફથી જોવે છે અને વાત કરે છે કે આત્મા નિત્ય છે. આત્મા મુક્ત છે, આત્મા બંધાયેલો નથી, બંધ કલ્પના છે, મુક્ત કલ્પના છે. આત્મા બંધાતો પણ નથી, આત્મા છૂટતો પણ નથી. આત્મા દુઃખી થતો નથી, આત્મા વિકારો કરતો નથી પણ તે પર્યાયનું પડખું ભૂલી જાય છે. સાથે જોવા જેવી તો વર્તમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy