SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૩ અવસ્થા છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધિ જો હોય તો, દ્રવ્ય આપ્યું આનંદથી ભરેલ હોવા છતાં તેનો અનુભવ નહિ થાય. આનંદનો અનુભવ શુદ્ધ અવસ્થામાં થશે. શુષ્કજ્ઞાની પર્યાયઅવસ્થા ભૂલી જાય છે. બંધ મોક્ષ છે કલ્પના ભાખેવાણી માંહી, વર્તમોહાવેશમાં શુષ્કજ્ઞાનીતે આંહી.” ત્રિકાળી આત્મદ્રવ્ય તરફ નજર ગઈ. નિશ્ચય તરફ નજર ગઈ પણ વ્યવહારમાં વર્તમાન તરફ નજર જતી નથી. વર્તમાનમાં જે અશુદ્ધિ છે તે લક્ષમાં લેતો નથી અને તેની શુદ્ધિ માટે સાધના કરતો નથી. સ્વચ્છંદમાં તે જીવે છે, મોહના આવેશમાં વર્તે છે, અને પોતાને જ્ઞાની કહેવડાવે છે. આને શુષ્કજ્ઞાની કહે છે. બહુ દુઃખની વાત તો એ છે કે બંધ મોક્ષ કલ્પના છે', વિગેરે નિશ્ચયનયની વાત માત્ર વાણીથી કરે છે, પણ વર્તે છે મોહના આવેશમાં અને મોહના આવેશમાં વર્તતો હોવાથી તથારૂપ અવસ્થા તેને પ્રાપ્ત થતી નથી. તેના કારણે તે જાણે છે પણ જીવનમાં જીવતો નથી તે શુષ્કજ્ઞાની. અને જીવનમાં જીવે છે તે અનુભવ જ્ઞાની. કોઈ કવિએ કહ્યું છે કે, જાણ્યું તો તેનું ભલું મોહે નવિ લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષશોક નહિ થાય. જે મોહથી લપાતો નથી, મોહનો લેપ જેને લાગતો નથી તેણે જાણ્યું કહેવાય. પૂછો કમળને, કમળ એમ કહે છે કે કાદવમાં જન્મ છું, પાણીથી વધુ છું. અને પાણીમાં જ રહું છું મારા ઉપર સેંકડો ગેલન પાણી પડે છે, પણ સાહેબ ! એક પણ છાંટો મને અડતો નથી. જેને મોહ સ્પર્શ કરતો નથી એની અભુત અવસ્થા છે. ચક્રવર્તી છ ખંડની સંપત્તિ ખુમારીથી છોડી દે છે, કંઈ રડતાં નથી, કોઈએ કાઢી મૂક્યાં નથી, ઘરમાં કંઈ પ્રશ્ન થયો નથી. તેઓ તો આનંદથી જાય છે, કારણ જ્ઞાની છે. મોહથી લેપાયેલાં નથી. જ્ઞાનકળા ઘટભાસી જાકુ જ્ઞાન કળા ઘટ ભાસી, તન ધન નેહ રહ્યો નહિ વાકું, ખીણમેં ભયો રે ઉદાસી. સૂર્ય હજુ ઉગ્યો નથી. સૂર્યનારાયણની સવારી આકાશમાં પધરાવાની છે, પણ સૂર્યનારાયણ આવતાં પહેલાં અરુણોદય થાય છે અને અરુણોદય થતાં જગતમાંથી અંધકાર ચાલ્યો જાય છે. જ્ઞાનરૂપી સૂર્ય હજુ ઉગ્યો નથી પણ જ્ઞાનની ભૂમિકા ઉપર પણ જો આવે તો તેને તન, ધનનો સ્નેહ રહેતો નથી અને ક્ષણભરમાં ઉદાસી થઈ જાય છે. ઉદાસી એટલે પડેલ મોટું નહિ પણ ઉદાસી એટલે મસ્તી, ખુમારી, આનંદ. આ અવસ્થા કેમ આવી? હવે એને બરાબર સમજાયું, ભાન થયું, દઢ થયું, નિશ્ચિત થયું. ઊંઘમાં પૂછો કે જાગતાં પૂછો કે હાથમાં તલવાર લઈને પૂછો, તેને નિશ્ચય થઈ ગયો છે કે હું અવિનાશી છું અને જગતના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy