SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૭ જુદી વાત છે. વાણીમાં બોલવું જુદી વાત છે તથારૂપ દશા થવી જુદી વાત છે. બહુ મહત્ત્વની વાત એ કે તે મોહના પ્રભાવમાં વર્તે છે. “વર્તે મોહાવેશમાં', માત્ર મોહ નહિ પણ મોહનો આવેશ, માત્ર કષાય નહિ પણ કષાયનો આવેશ, માત્ર વિષયો નહિં પણ વિષયોનો આવેશ, માત્ર અહંકાર નહિ પણ અહંકારનો આવેશ. આવેશ આવતાં ગુણાકાર થાય છે, આવેશ આવતાં ક્ષમતા વધે છે, આવેશ આવતાં તેની માત્રા અને પ્રમાણ વધે છે. જે મોહના પ્રભાવમાં વર્તે છે, તેને અહીં શુષ્કજ્ઞાની કહ્યાં છે. આ વાત એટલા માટે થાય છે કે સૌથી પહેલાં આપણે આપણને ઓળખીએ. કોઈની સામે જોવા માટે આ વાત નથી અને કોઈ કેવો છે તે નિર્ણય કરવા માટે પણ આ વાત નથી, વ્યક્તિ પોતે પોતાને જાણી લે કે પોતાની અવસ્થા-દશા-સ્થિતિ કેવી છે? બહુ ગંભીર વાત છે. શાંત અવસ્થામાં, ધીરજથી, એકાગ્રતાથી વાતને સમજવા પ્રયત્ન કરજો. બે પાત્રોને સમજી લઈએ, એક છે શુષ્કજ્ઞાની અને બીજા જેઓને તથારૂપ જ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે તેવા જ્ઞાની. બન્નેની ક્વૉલિટી જુદી છે. જ્ઞાની શબ્દ બન્નેમાં છે. એક શુષ્કજ્ઞાની અને બીજા, જ્ઞાન દશા જેઓને પ્રાપ્ત થઈ છે તેવા અનુભવજ્ઞાની. શુષ્કજ્ઞાની પંડિત હોઈ શકે, વિદ્વાન હોઈ શકે, શાસ્ત્રજ્ઞ હોઈ શકે, શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય, બીજાને કહી શકતો હોય, બીજા પાસે વાત કરી શકતો હોય, હજારોની મેદનીને વાણી દ્વારા પ્રભાવિત કરી શકતો હોય, તે વિદ્વાન હોઈ શકે છે અને શુષ્કજ્ઞાની પણ હોઈ શકે. પંડિત હોય અને વિદ્વાન હોય તો પણ શુષ્કજ્ઞાની હોઈ શકે છે. જ્ઞાનદશા જેઓને પ્રાપ્ત થઈ છે, તેઓને કહેવાય છે અનુભવજ્ઞાની, બે ક્વૉલિટી જુદી. ચિદાનંદજી મહારાજે એક અદ્ભુત વાત કરી છે, નાનકડી કડીમાં. મહાપુરુષો જ્યારે બોલ્યા છે ત્યારે નાનકડી લીટીમાં જ બોલ્યાં છે. બિનજરૂરી શબ્દો વાપર્યા જ નથી, શબ્દોની બહુ કરકસર કરી છે. જો લૌ અનુભવ જ્ઞાન ઘટ મેં પ્રગટ ભયો નહિ, તૌ લોં મન સ્થિર હોત નહિ, છીન જિમ પીપરકો પાન. વેદ ભણ્યો પણ ભેદ વિના શઠ પોથી પોથી જાણ. “જ્યાં સુધી અનુભવ જ્ઞાન ઘટમાં પ્રગટ થયું નથી', ઘટ એટલે અંતર, ઘટ એટલે હૃદય, ઘટ એટલે ચૈતન્ય, ઘટ એટલે ભીતર. આ ઘટના ભીતર બને છે, અંતરમાં બને છે, ચૈતન્યમાં બને છે. એવી ઘટના જેનામાં ઘટી છે તે શરીરમાં હોઈ શકે છે. પણ ઘટના શરીરમાં બનતી નથી, ઘટના ઘટે છે અંદર. તો જ્યાં સુધી આવું અનુભવ જ્ઞાન ઘટમાં પ્રગટ થયું નથી, ત્યાં સુધી મન સ્થિર થઈ શકશે નહિ. જગતમાં બે વાતો ચાલે છે. પહેલાં મન સ્થિર કરો પછી આત્મ અનુભવ થશે. અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy