SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રવચન ક્રમાંક - ૫, ગાથા ક્રમાંક - ૪ હોય અને ટ્યૂબલાઈટ હોય, ધીમું ધીમું સંગીત ગુંજતું હોય, તમને ઘસઘસાટ ઊંઘ આવતી હોય, અચાનક ખખડાટ થાય અને મોટો ભોરીંગ નાગ છત ઉપર લટકતો દેખાય તે વખતે ‘‘ભલે રહ્યો’’ એમ તમે કહો કે ફટ દઈને ઊભા થાવ અને આખી શેરીને પણ જગાડો ને કહો ને કે અમારા ઘરમાં સાપ નીકળ્યો, તમે આવો, બહાર કાઢીએ અને સાપ એવો જબરો હોય કે તે ક્યાંક પેસી જાય અને સવાર સુધી બહાર ન નીકળે તો તમે ઊંઘો ખરા ? એ સાપનો ભય લાગે છે ને ? સાપના ભય કરતાં પાપનો ભય વધારે લાગે એને કહેવાય છે ચિત્તની શુદ્ધિ, ન લાગે તો ક્રિયા જડ. ભગવાનના મંદિરમાં ગયા અને ભગવાનની ભક્તિ કરી અને આંખમાં વિરહનાં આંસુ ન આવ્યાં તો ક્રિયા જડ. રોઈ રોઈ અખિયાં રાતી, નયના પ્રભુદર્શનકી પ્યાસી. આ તો બોલે જ જાય, બોલે જ જાય, તમે ગાવ, હું ના નથી કહેતો પણ હૈયું ભીનું થવું જોઈએ, વિરહની આગ સળગવી જોઈએ. મારો પ્રિયતમ મને ક્યારે મળશે ? મારી કેટલી શુદ્ધિ થઈ ? શુદ્ધિ થતી નથી તેનું શું કારણ? આવી અંતર તપાસ કરતો નથી અને ઢગલાબંધ ક્રિયા કરે છે તેને જ્ઞાની પુરુષો ક્રિયા જડ કહે છે. શંકરાચાર્યજીએ ઉપનિષદ ઉપર ટીકા લખી. તેઓ એમ માનતાં હતાં કે ‘ૠતે જ્ઞાનાન મુક્ત્તિ: ।’ બ્રહ્મજ્ઞાન વગર મોક્ષ ન થાય, તે બરાબર પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંઈ ઉપાય ખરો ? તો કહે છે કે હા, શ્રવણ, મનન અને નિદિધ્યાસન ‘આત્મા વારે શ્રોતવ્યો, મન્તવ્યો, નિવિધ્યાશિતવ્યો ।’ સાહેબ ! વર્ષોથી અમે સાંભળીએ છીએ પણ કાંઈ થયું નથી તેનું કારણ શું? અંતઃકરણ શુદ્ધ નથી, તો શ્રવણ મનનની પ્રક્રિયા માટે અંતઃકરણ એટલે મન શુદ્ધ કરવું પડશે. તો મન શુદ્ધ શેનાથી થાય ? નિષ્કામ કર્મથી, કોઈપણ જાતની ભૌતિક કામના વગર, આત્માના હિતાર્થે જ્ઞાની પુરુષે કહેલ આવશ્યક ક્રિયા કરવી એને કહેવાય છે નિષ્કામ કર્મ. બ્રાનની પ્રાપ્તિ શ્રવણ, મનન અને નિદિધ્યાસન વગર ન થાય અને એ પ્રક્રિયા ચિત્તશુદ્ધિ વગર ન થાય. ચિત્તશુદ્ધિ નિષ્કામ કર્મ વગર ન થાય. આવી ચિત્તશુદ્ધિ થાય છે કે નથી થતી તેવો અંતરભેદ જાણ્યા વગર કર્મ કર્યે જાય છે. ‘અનેક જુગ વીત્યા રે એને પંથે ચાલતાં રે જી ? હજુયે ન આવ્યો મારગડાનો અંત.’ બાહ્ય ક્રિયામાં રાચતાં અંતરભેદ ન કાંઈ.' આ તો ઠીક પણ જડ એવો, ધૂની એવો, આગ્રહી એવો, કદાગ્રહી એવો, પૂરો જ્ઞાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy