SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શાસ્ત્રમાં કહી હોય તો પણ અંદરમાં બોધ ન હોય, દ્રવ્યશ્રત ન હોય, ભાવૠત ન હોય એવી જે બાહ્ય ક્રિયા એમાં તે રાચે છે. “અંતરભેદ ન કાંઈ” અંતરભેદ બહુ મહત્ત્વનો શબ્દ છે. આત્મવિકાસનો સંબંધ ચિત્તશુદ્ધિ-મનની શુદ્ધિ સાથે પણ છે. એક બાજુમાં શરીર, એક બાજુ આત્મા અને વચ્ચે આ મન છે. મન બન્ને પક્ષે કામ કરે છે. આત્માના પક્ષે પણ કામ કરે છે અને શરીરના પક્ષે પણ કામ કરે છે. શરીર સાથે પણ મન જોડાય છે અને આત્મા સાથે પણ મન જોડાય છે. એટલા માટે એમ કહ્યું કે આ મનનું સાધન શુદ્ધ હોવું જોઈએ. આ તમામ અનુષ્ઠાનો મનની શુદ્ધિ માટે છે, ચિત્ત કહો, મન કહો, અંતઃકરણ કહો, આ પર્યાયવાચી શબ્દો છે. તેના શોધન માટે આ ક્રિયા છે. ચિત્ત શુદ્ધિ ચિત્ત શોધનથી થાય. ચિત્ત શોધન' એટલે શું? મનમાં ઊઠતાં વિચારો, વૃત્તિઓ, મનમાં ઊઠતાં સંકલ્પો એનું અવલોકન કરવું, તેનું પૃથ્થક્કરણ કરવું, તટસ્થપણે જોયું અને તેનું વિસર્જન કરવું તેને કહેવાય છે ચિત્ત શોધન. અંદર વિચાર ઊઠે છે, વૃત્તિઓ ઊઠે છે, સંકલ્પો ઊઠે છે, તે ક્યાં દેખાય છે? મનના પડદા ઉપર. જેમ પીક્સર પડદા ઉપર, ટી.વી.ના પડદા ઉપર દેખાય છે ને? તેમ મન પડદો છે. આપણા મન ઉપર વિચારો દેખાય, વૃત્તિઓ દેખાય તેનું અવલોકન કરવું. જીવ પ્રતિક્રમણ કરે છે અને જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવની વાત કરે છે પણ બીજો નીકળે છે ત્યારે તે મોઢું બગાડે છે. ભાઈ ! કઈ રીતે મેળ પડે ? અને આ અવલોકન કરે નહિ અને ક્રિયા કરે, ચલાવે રાખે તેને કહેવાય છે ક્રિયા જડ. જો તો ખરો ! આ તું શું કરે છે? આ ચિત્ત શોધન અર્થે અનેકવિધ ક્રિયાનો જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યો છે. ક્રિયા જડ એટલે શું? આત્મશુદ્ધિનું લક્ષ્ય ન હોવાથી ચિત્ત શોધન કરતો નથી. અને એમને એમ ક્રિયાઓ કરે જાય છે, તેને કહેવાય છે ક્રિયા જડ. આ ક્રિયાના સેવનથી મારા આત્મામાં કેટલી જાગૃતિ આવી? આ ક્રિયાઓ કરવાથી મારી કેટલી આંતરિક શુદ્ધિ થઈ? હું કંઈક ચોક્ખો થયો ? મારો ગુસ્સો ઓછો થયો? મારો મિજાજ ઘટ્યો ? આવું ક્રિયા કરનારો વિચારે. એક ભાઈ એમ કહેતા હતા કે “હું ઘરમાં પગ મૂકું તો સૂનમૂન ! ન કોઈ બોલે કે ચાલે. સાહેબ ! આપણો કડપ એવો છે.” મેં કહ્યું કે ““હડકાયું કૂતરું આવે તો પણ આમ જ થાય ને, બીજું શું થાય? તું ઘરમાં જાય અને સૂનમૂન? તારો છોકરો પપ્પા કેમ છો? એમ પૂછતો તારી પાસે આવી ન શકે?” આ જીવ મંદિરમાં પચીસ વખત ગયો પણ કડપ ન ગયો, તો આ ક્રિયા જડ. પ્રતિક્રમણ કર્યું પણ પાપનો ભય ન લાગ્યો તે ક્રિયા જડ. મહા મહિનો હોય, કડકડતી ઠંડી પડતી હોય, તમે તમારા બેડરૂમમાં હો, સવામણનું ગાદલું હોય, કાશ્મીરી સાલ ઓઢી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy