SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રવચન ક્રમાંક - ૫, ગાથા ક્રમાંક - ૪ એટલે અમને આનંદ આનંદ થાય, પછી જ અમે ખાઈએ.” આને શું કહેવું? માટે શાસ્ત્રોએ કહ્યું કે જે કોઈ અનુષ્ઠાનો ભાવક્રિયાના ટેકામાં હોય તેને કહેવાય દ્રક્રિયા. આવશ્યક અનુષ્ઠાન જે કહ્યા છે તે શાસ્ત્રની વિધિપૂર્વક કરવાં અને ગુરુની આજ્ઞાએ કરવાં. શાસ્ત્રમાં સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ આદિ દરેકની વિધિ બતાવી છે. આ ક્રિયાઓ કરતો હોવા છતાં એના અંદરમાં આત્મ પરિણતિરૂપ પ્રવર્તન (પરિણમન) ન થાય તો એને ક્રિયા જડ કહે છે. દ્રવ્યશ્રુત, ભાવશ્રુત, દ્રક્રિયા અને ભાવક્રિયાના સમન્વયથી આમ્રવનો નિરોધ થાય. એકલા જ્ઞાનથી પણ નહિ ચાલે, અને એકલી ક્રિયાથી પણ નહિ ચાલે. બન્ને સાથે જોઈએ અને એક જ ટાઈમે જોઈએ. રોટલી આજે ખાવ અને શાક આવતી કાલે ખાવ, ભાત પરમદિવસે અને દાળ ચોથા દિવસે, એ કાંઈ જમવાની રીત છે ? થાળીમાં બધું જોઈએ. તમે સાધના કરવા બેસો તો જ્ઞાન પણ જોઈએ અને ક્રિયા પણ જોઈએ. ભાવશ્રુત પણ જોઈએ ને દ્રવ્યશ્રુત પણ જોઈએ. દ્રવ્યક્રિયા પણ જોઈએ ને ભાવક્રિયા પણ જોઈએ, તે હોય તો આશ્રવનો નિરોધ થાય. અનંતકાળમાં આ મેળ નથી પાડ્યો, તાળો નથી મેળવ્યો, જ્ઞાન હોય તો ક્રિયા ન હોય અને ક્રિયા હોય તો જ્ઞાન ન હોય, આ બધો ગોટાળો કાઢી નાખવો પડે. આશ્રવ એટલે નવા કર્મો આવવા. આશ્રવ નિરોધ એટલે આવતાં કર્મો રોકવા, તેને સંવર કહે છે. દ્રવ્યક્રિયા, ભાવક્રિયા, દ્રવ્યશ્રુત, ભાવકૃત આ ચારેના સમન્વયથી આશ્રવ નિરોધ એટલે સંવર થાય. આવતાં કર્મો રોકાયા પણ બેલેન્સમાં જૂના કર્મો પડ્યાં છે, ખાતામાં બોલે છે કે અમુક ભવમાં તમે આમ કરેલું. ખાતાવહી ચોખ્ખી ચટ છે. એક જન્મમાં તમે શવ્યાપાલકના કાનમાં શીશું રેડ્યું હતું. કર્મ ઉદયમાં આવ્યું એટલે કાનમાં ખીલા ઠોકાણા. ખાતામાં પડેલા જૂના કર્મોનો જ્ઞાનદશાપૂર્વક સમતાભાવે ક્ષય કરવો તેનું નામ સકામ નિર્જરા. આવતાં કર્મો રોકાયા તે પહેલું કામ થયું અને જૂના કર્મોનો ફેંસલો થયો તે બીજું કામ થયું, એટલે આત્મા ખાલીખમ. ‘સર્વર્મક્ષયાન્મોલ:” સર્વ કર્મનો ક્ષય થવો તેને જ્ઞાનીઓ મોક્ષ કહે છે. આવી અવસ્થા જો પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે જોઈએ. બાહ્ય ક્રિયામાં રાચતાં' ક્રિયા વિધિપૂર્વક થવી જોઈએ. એ ક્રિયા અને વિધિ શાસ્ત્રમાં કહેલી હોવી જોઈએ. એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા જોઈએ. પોતાને ગમે અને પોતે જાતે પસંદ કરે એ ન ચાલે. શાસ્ત્ર વિરુદ્ધ ન ચાલે. જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ ન ચાલે. જ્ઞાની પણ સાક્ષી અને શાસ્ત્ર પણ સાક્ષી. એને બાજુ પર રાખીને જે કંઈપણ ક્રિયા થાય તેને કહેવાય છે બાહ્યક્રિયા. જ્ઞાનીની આજ્ઞા વગરની અને શાસ્ત્રમાં નહિ કહેલી એવી જે બાહ્યક્રિયા અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy