SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧ દેવવંદન કરતાં કરતાં તમારો ઉપયોગ બહારથી ખસ્યો અને અંદ૨માં ઠર્યો તો જ ખરું દેવવંદન. ઉપયોગનું સ્વરૂપમાં ઠરવું તેનાથી બીજું મોટું કોઈ કામ નથી. એ ઉપયોગ અંદર ઠરતો નથી અને એને બહાર જવા દેવો નથી એ માટે વચલી જે અવસ્થા તેને કહેવાય છે દ્રવ્યક્રિયા. જ્ઞાની પુરુષોએ તેના માટે આવશ્યક શબ્દ વાપર્યોછે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ આ છ આવશ્યકોમાં તમામ અનુષ્ઠાનો સમાઈ જાય છે. બાકી બધી પેટા શાખાઓ છે. જગતમાં ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. ચંદ્રભાગા નદીના કાંઠે પંઢરપુર મોટું તીર્થ છે. મહા સુદ પુનમે ત્યાં મોટો મેળો ભરાય છે. લાખો માણસો આવે છે તમે જુઓ તો હજારો માણસો ઊભા હોય, ન્હાતા હોય, ગાતા હોય, ભજન કરતા હોય, આળોટતા હોય, પૂજા પાઠ કરતા હોય, ત્યાં પંઢરપુરના વિઠોબાજી (વિઠ્ઠલનાથ ભગવાન) પાસે નારદજી ફરતાં ફરતાં આવ્યાં. આ ઘટના ઘટી કે ન ઘટી તેમાં ન પડશો પણ વાત સમજો. નારદજી વિઠોબાજીને કહે છે કે અહોહો ! તમારો બહુ મોટો ઠાઠ છે, આટલા બધા માણસો આપની ભક્તિ કરવા આવ્યા છે ! આ કોલ્હાપુરના મહારાજા, આ સાંગલીના મહારાજા, આ મીરજના મહારાજા તથા આ મોટા મહાનુભાવો, પંડિતો પણ છે.'' વિઠોબા કહે કે ‘‘પાસે આવ, તને કાનમાં કહું, આ બધા આવ્યા છે તે પોતપોતાની ફાઈલ લઈને આવ્યા છે. મારા માટે આવ્યા નથી.'' આમાં કાંઈ સમજાણું ? જીવ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની ફાઈલ લઈને જાય. ‘દિકરો નથી, ને દિકરો આપે આ એમનું કામ છે ?’ જીવ શું ધંધો માંડીને બેઠો છે ? આ ક્રિયા નથી. આત્મપરિણતિ રૂપ પરિણમનમાં સહાયક બને એવી જે ક્રિયા એને કહેવાય છે દ્રવ્યક્રિયા. ફેર વિચારીએ, ભાવક્રિયા કોને કહેવાય ? તો જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિ રૂપ પ્રવર્તવું તેને કહેવાય છે ભાવક્રિયા. અને આ ભાવક્રિયાના ટેકામાં જે હોય તે દ્રવ્યક્રિયા. પરમાત્માની ભક્તિ ભાવક્રિયાના ટેકામાં છે, ભક્તિ કરતાં કરતાં નિર્વિકલ્પ અવસ્થા આવી જાય. સુલસા મહાવીરને યાદ કરતી હતી અને હાથની બંગડીઓ તૂટી જતી હતી. ચંદનબાળા રોઈ અને ભગવાન મહાવીર પધાર્યા. ભગવાનને ૧૭૫ ઉપવાસ થયા છે ને તે ઉપવાસના પારણામાં માત્ર અડદના બાકળા, ન ગંઠોડાનું પાણી કે ન મગનું પાણી, ન લીંબુનું પાણી કે ન સૂંઠની ગોળી. આપણાં પારણામાં તો ઠાઠ હોય છે, બાદશાહી પારણું હોય છે. એક બહેન કહેતાં હતાં કે ‘‘શ્રાવક છઠના પારણે છઠ કરે છે, બહુ સારું કરે છે પણ તેમને છઠનું પારણું જ્યારે હોય ત્યારે આખું ઘર ટેન્શનમાં હોય કારણકે એકાદિ વસ્તુ રહી જાય તો મોટો કલેશ અને કંકાસ થાય, કષાય થાય. પારણું પતી જાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy