SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રવચન ક્રમાંક -, ગાથા ક્રમાંક - ૪ અંદરમાં કામ થાય છે. જ્ઞાન રાગને જુદું પાડે છે, જ્ઞાન પણ જુદું છે અને રાગ પણ જુદો છે. અને ત્રીજી વાત કર્યાદિનાં સર્વ સંયોગોથી પણ આત્મા જુદો છે. આ બધા સંયોગો જે ઊભા થયા છે તેમાં તમારી બુદ્ધિ અને પુરુષાર્થ છે તે જાણી શકાય તેવું પરિબળ છે અને બીજું ન જાણી શકાય તેવું પરિબળ છે, તે કર્મ છે. કર્મના કારણે સંયોગો ઊભા થાય છે. હાનિ લાભ જીવન મરણ, યશ અપયશ વિધિ હાથ. (તુલસીદાસજી) હાનિ થવી, લાભ થવો, જીવન-મરણ, યશ-અપયશ, વિધિના હાથમાં છે. કર્મતંત્ર આ બધા સંયોગો ઊભા કરે છે. રાગ-દ્વેષનો આપણો પરિણામ તે ભાવકર્મ. તેને કારણે કાર્પણ વર્ગણામાંથી બનેલું કર્યતંત્ર તે દ્રવ્યકર્મ. આ દ્રવ્યકર્મનો ઉદય જગતમાં સંયોગો ઊભા કરે છે. તે સંયોગોથી પણ આત્મા જુદો છે. આવું જ્ઞાન જો થાય તો જીવનમાં સમતા આવે, શાંતિ આવે, સ્વસ્થતા આવે, ઉત્સાહ આવે, સ્કૂર્તિ આવે. જીવનમાં સમાધાન રહે કે ભાઈ આ કર્મના સંયોગો છે, તેમાં થાય શું? અને જે પ્રકારનાં કર્મો હશે તે પ્રકારનાં સંયોગો પ્રાપ્ત થશે. છેલ્લી વાત (૪) સર્વ વિકારોથી આત્મા જુદો છે આવો અંદરમાં બોધ થવો તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે તેટલા વાંચ્યા હોય, પ્રવચનો ગમે તેટલા સાંભળ્યા હોય અને ગમે તેટલા પ્રવચનો કર્યા હોય પણ અંદર જ્ઞાન પરિણત થયું? પરિણત થવું તે બહુ મોટી, મહત્ત્વની ઘટના છે આપણે જમવા બેસીએ અને બે-પાંચ વાટકા બાસુંદી પી જઈએ પછી પચે નહિ તેનું શું? અર્ધો ગ્લાસ જો પચી જાય અને લોહી થઈ જાય તો પચ્યું કહેવાય. જ્ઞાન ઢગલાબંધ હોય પણ પરિણત જો ન થાય તો જ્ઞાન પચ્યું ન કહેવાય. બોધ એટલે અંદર પરિણત થવું. દેહાદિ સર્વ વિભાવોથી ચેતનતત્ત્વ ભિન્ન છે તેવો જે બોધ થવો તેને કહેવાય છે જ્ઞાન. આ જ્ઞાનને શાસ્ત્ર પરંપરામાં ભાવશ્રુત કહે છે, અને એને જ સમ્યગ્રજ્ઞાન કહે છે. આ સમ્યજ્ઞાન, બોધ અથવા ભાવશ્રુત કે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થશે? બહારમાં ક્યાં પરિબળો, ક્યાં સાધનો છે, જેનાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય? શાસ્ત્રો વાંચ્યા ન હતા તે વખતે આત્માની તમને ખબર ન હતી, શાસ્ત્રનું વાંચન કર્યું તો આત્મા છે તેની તમને ખબર પડી. શાસ્ત્રો જો ન હોત તો આત્મા છે, નવ તત્ત્વો છે તેવો નિર્ણય કરી શકત? ના. જેના દ્વારા આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય, તેને કહેવાય છે દ્રવ્યશ્રત. દ્રવ્યશ્રતનું બીજું નામ છે સશાસ્ત્ર. સતુશાસ્ત્ર અને આત્મા વચ્ચે જે મેળ કરી આપે એવું એક ત્રીજું તત્ત્વ છે, તે છે સત્પુરુષ. એકલું શાસ્ત્ર તમારા હાથમાં જો આવશે તો કોણ જાણે તમે શાસ્ત્રના શું અર્થ કરશો? બોધ પણ શાસ્ત્રથી થાય છે અને સંપ્રદાય પણ શાસ્ત્રથી જ થયા છે. એમાં શાસ્ત્રોનો વાંક નથી. એ શાસ્ત્રો વાંચતા ન આવડ્યા, શાસ્ત્રોનો મર્મ પકડતા ન આવડ્યો, તેના કારણે થયા છે. સપુરુષના મુખેથી સન્શાસ્ત્રનું શ્રવણ થાય તેને કહેવાય છે દ્રવ્યશ્રુત અને દ્રવ્યશ્રુતથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy