SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 39 આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અદ્ભુત પેકીંગ જોયું? તમને બરાબર ખબર છે કે આ રસ કાઢી લેવાનો અને ઉપરની છાલ ફેંકી દેવાની. છાલ જોઈએ ખરી પણ છાલ કામમાં આવતી નથી. છાલ વગર રસ રહેશે નહિ. શબ્દ એ છાલ છે. જ્ઞાન અમૃત છે, રસ છે. શબ્દને ખોલવાં પડશે. ત્રણ શબ્દો સમજી લઈએ. જ્ઞાન એટલે શું ? કિરા એટલે શું? અને જડતા એટલે શું? આત્મસ્વરૂપ ચેતનતત્ત્વ દેહાદિ પર વસ્તુથી અને રાગાદિ પર ભાવોથી તથા કર્મ આદિના સર્વ સંયોગો તેમજ સર્વ વિકારોથી ભિન્ન છે, એવો જે અંતરમાં બોધ થવો એને કહેવાય છે જ્ઞાન.” (૧) આત્મસ્વરૂપ એટલે ચૈતન્ય, એ દેહાદિ પર વસ્તુથી જુદો છે. આત્મા દેહથી જુદો છે. નજીકમાં નજીક શરીર છે તે શરીરથી જુદો છે, તો પછી ઘરથી તો જુદો હોય જ, રૂપિયા, નોટો ને ઘરેણાંથી પણ જુદો હોય જ, ટી.વી. બેઠકરૂમ, ફર્નિચર અને ઓફિસથી પણ જુદો હોય જ, કારણ કે તે દેહથી જ જુદો છે. પહેલું ભાન એ થાય કે આત્મા દેહથી ભિન્ન છે અને દેહને વળગીને રહેલા જે પદાર્થો છે તેનાથી પણ આત્મા જુદો છે. આવો બોધ અંદરમાં થવો તેને કહેવાય છે જ્ઞાન. માત્ર નિરાશ થઈને બોલો કે ““આ જીવનમાં કોઈ કોઈનું નથી'', તેને કંઈ બોધ ન કહેવાય. જ્ઞાન તે જીવનની જીવંત અવસ્થા છે. આત્મા દેહાદિ પર વસ્તુથી જુદો તો છે જ, જરા ઊંડાણમાં જઈ વિચારીએ તો એ (૨) રાગાદિ ભાવોથી પણ જુદો છે. આત્મા અને રાગને જુદા કરવા પડશે. દેહ અને આત્મા જુદા તેમ રાગ અને જ્ઞાન, રાગ અને આત્મા બે જુદા, કષાયો અને આત્મા બે જુદા. વૈષ અને આત્મા એ બંને જુદા. ત્યાં ફાડ પાડવી પડશે. દેહથી તો જુદો પાડ્યો પણ રાગથી એને જુદો પાડવો પડશે. પ્રતીતિ થાય કે રાગ મારો સ્વભાવ નથી, રાગ મારું સ્વરૂપ નથી. રાગ મારામાં દેખાય છે ખરો, પણ મારામાં નથી, હું તેનાથી ભિન્ન છું, જુદો છું, અલગ છું, સ્વતંત્ર છું, રાગનો જાણનાર છું. રાગ મારું જ્ઞય છે અને હું રાગનો જ્ઞાતા છું. મારામાં રાગ ઊઠે છે, તે હું જાણું છું ખરો પણ રાગ હું નથી. બહુ અભુત અને મૌલિક વાત છે. એકલો રાગ નહિ પણ રાગાદિક એટલે રાગ, દ્વેષ, મોહ, કષાયો આ બધા રાગાદિક ભાવો છે. દેવચંદ્રજી મહારાજે સીમંધર સ્વામીના સ્તવનમાં ગાયું, જે પરિણામિક ધર્મ તમારો, તેહવો અમચો ધર્મ. પ્રભુ! અમે તમારા શરણોમાં આવ્યા છીએ, દાસ થઈને આવ્યા છીએ, પણ મને એ વાતનો ખ્યાલ છે કે આપણે બન્ને એક ભૂમિકામાં છીએ, પણ ફરક એટલો પડ્યો કે વિભાવથી, રાગદ્વેષથી અમે પકડાઈ ગયા અને તમે રાગદ્વેષથી મુક્ત બન્યા. હવે તમને જોઈને પ્રતીતિ આવી ગઈ કે હું પણ રાગદ્વેષથી મુક્ત થઈશ. હવે ભાન થયું કે રાગ જુદો છે અને જ્ઞાન જુદું છે. જેમ શાક સમારતી વખતે છાલ જુદી પાડો અને ગર જુદો પાડો એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy