SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રવચન ક્રમાંક - ૫, ગાથા ક્રમાંક - ૪ આપણા માટે દિવાળી, તે દિવસ આપણા માટે બેસતું વર્ષ હશે, એ દિવસ આપણા માટે આનંદનો ઉત્સવ હશે. જે કંઈ સમસ્યાઓ છે તેને યથાર્થપણે જેમ છે તેમ સમજી લઈએ. તમે શું માનો છો અને તમે શું કરો છો? તે બહુ મહત્ત્વનું નથી, હું શું માનું છું ને શું જાણું છું અને હું શું કરું છું તે પણ બહુ મહત્ત્વનું નથી, પણ જ્ઞાની શું કહે છે તે મહત્ત્વનું છે. અંતિમ સુપ્રિમ ઓથોરીટી તમે પણ નથી અને હું પણ નથી. અંતિમ ઓથોરીટી જ્ઞાની છે અને જ્ઞાની એમ કહે છે કે અમારા માથે સુપ્રિમ ઓથોરીટી તીર્થંકર પરમાત્મા છે. | ‘મર્ડવત્રપ્રસૂતે મધરરચિતં દ્રાવશi વિશામ.” અરિહંત-તીર્થંકર પરમાત્માના મુખમાંથી પ્રગટ થયેલ, ગણધર ભગવંતોએ રચેલ દ્વાદશાંગરૂપ સર્વ શાસ્ત્રને હું નમસ્કાર કરું છું.” આ શબ્દો વીતરાગ પરમાત્માના મુખમાંથી નીકળ્યા છે. આ કહેનાર રેંગીપુંગી, રાજકારણી કે ધંધાદારી નથી પણ જેમનામાં અંશે પણ રાગ, દ્વેષ કે મોહ નથી તેમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે. શબ્દ વગર નહિ ચાલે પણ શબ્દ જ સમસ્યા પેદા કરે છે. આનંદધનજીએ કહ્યું, ગગનમંડળમેં ગૌઆ વિયાણી, ધરતી દૂધ જમાયા; માખણ થા સો વિરલા પાયા, છાસ જગત ભરમાયા. તીર્થકર દેવની વાણી અમૃત છે. “ગગનમંડળમેં ગૌઆ વિયાણી” -જગતમાં તીર્થકર દેવની વાણી પ્રગટ થઈ. તીર્થંકર દેવની વાણીરૂપી ગાય વિયાણી, “ધરતી દૂધ જમાયા' અને સંતોએ દૂધની જમાવટ કરી અને પછી વલોણું કર્યું. સાહેબ ! મઝા એવી થઈ ગઈ કે માખણ થા સો વિરલા પાયા, છાસ જગત ભરમાયા.” માખણ તો સંતો લઈ ગયા. એમણે ચોરીને લીધું નથી પણ એમને સમજાયું કે માખણ લેવા જેવું છે, છાસ લેવા જેવી નથી. આપણને એમ સમજાયું છે કે લેવા જેવી છાસ જ છે ને માખણ સામે જોવા જેવું નથી. પહેલાના કાળમાં ઘણા લોકોના ઘરમાં વલોણા થતા હતાં. શેરીમાં કહેવા નીકળે કે છાસ લેવા આવજો. કોઈ માખણ લેવા આવવાનું આમંત્રણ આપતું નથી. છાસ આપવાની ચીજ છે. માખણ રાખવાની ચીજ છે. “માખણ થા સો વિરલા પાયા.” માખણ વિરલાને જ મળે છે. શબ્દ વગર નહિ ચાલે. શબ્દના આશ્રય વિના કામ નહિ થાય. છાલ વગર કેળાંને રાખશો શી રીતે ? ખાતી વખતે છાલને કાઢવી પડે છે. રત્નાગીરી કેરી ઠેઠ જામનગર પહોંચે, કેરીનો રસ અંદર કેવી રીતે રહેતો હશે. છાલ ન હોય તો રસ ઢોળાઈ જાય. કુદરતની વ્યવસ્થા તો જુઓ, ઉપર છાલ, અંદર રસ અને ઉપર બૂચ પણ ખરું. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy