SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક -૪, ગાથા ક્રમાંક - ૩ વૃત્તિઓને રોકી ન શકે તો એ જ્ઞાનને કરવાનું શું? ભર્તુહરિએ પોતાના જીવનની એક નાનકડી ઘટના કહી. તેમણે કહ્યું કે હું સંન્યાસી બન્યો. ગામની બહાર સાંજના ટાઈમે કૂવા પાસે મારો ઉતારો હતો. સામે નદી હતી. સૂવાનો ટાઈમ થયો. મેં રેતી જરા સરખી કરી, ગાદલા જેવું બનાવ્યું. થોડી રેતીનો ઢગલો કર્યો, ઓશિકા જેવું બનાવ્યું. આ ઘટના એક બાઈ જોતી હતી. તે મને ઓળખતી હતી. તેણે તેની સખીઓને કહ્યું કે “જોયા આ પેલા ભર્તુહરિજી, સંન્યાસી થયા, પણ લખણ ન ગયાં, ચાળા ન ગયાં, રેતીની ગાદી બનાવી અને ઓશિકું બનાવ્યું, માથા નીચે રાખવા. મેં સાંભળ્યું ને મને વાત સાચી લાગી. મેં તરત જ બધું ફેંદી નાખ્યું. બાઈએ કહ્યું કે “જોયું, આટલું કહ્યું તેમાં તો એમને ટણી ચડી ગઈ.” ભર્તુહરિએ કહ્યું કે આ બાઈ મને બોધ આપી ગઈ. કોઈ ગાળ આપે ને સામે દશ ગાળ તમે આપી શકો છો પણ એમાં તમારી ખુમારી નથી. અમે કહીએ કે “ગાળ પી જાવ' ત્યારે તમે કહો છો કે “સાહેબ ! ઝેર પીવા તૈયાર છીએ પણ ગાળ પીવા તૈયાર નથી.' રોજ સવારે આત્મસિદ્ધિની ૧૪૨ ગાથાઓનું પારાયણ કરીએ, વચનામૃતનો સ્વાધ્યાય કરીએ પણ જો જીવન વ્યવહારમાં નાના નાના પ્રસંગો કે ઘટના બનતાં સાસુ-વહુ, બાપદીકરો, મા-દીકરી, દેરાણી-જેઠાણી, ભાઈ-ભાઈ એકબીજાનું ખમી ન ખાય અને ક્રોધ કરે, તૂટી પડે તો તે જ્ઞાનને શુષ્કજ્ઞાન કહેવાય. “કરુણા ઉપજે જોઈ” કૃપાળુ દેવ કહે છે કે તેમને જોઈને અમને કરુણા આવે છે. આટલું બધું જ્ઞાન હોવા છતાં જીવ મોહ અને વૃત્તિઓના હાથમાં રમે છે. વર્ષો સુધી મંદિરમાં ગયા, પૂજા કરી, પાઠ કર્યા, પ્રતિક્રમણ કર્યું, સામાયિક કરી, નવકારશી કરી, આ બધું કરો છો તે માટે ધન્યવાદ, પણ અમારે જાણવું છે કે તમારી પ્રકૃતિમાં કંઈ ફેરફાર થયો? મુંબઈના કાળા કાગડા સંઘ કાઢીને કાશીએ જાય પછી પાછા આવે ત્યારે કેવાં હોય? બગલા જેવા, હંસ જેવા ઉજળા? અરે ! કાશીએ જાય તોય કાગડા કાળાં કે ઉજળાં હોવે નહીં રે લોલ, જેના જેવા ઢળ્યાં હોય ઢાળા, તે કોઈ દિ બદલે નહીરે લોલ. કૃપાળુ દેવ કહે છે કે અમે કોઈ જગ્યાએ જાણ્યું કે અજાણ્યે સક્રિયાનો નિષેધ કર્યો નથી પણ સક્રિયા કરતાં કરતાં જે વાત બાકી રહી જાય છે, તેના તરફ તમારું ધ્યાન દોરીએ છીએ. ક્રિયા કરતાં કરતાં તું સારો થા, સજ્જન થા, તું શાણો થા, સમજુ થા, તું સહિષ્ણુ થા ને ઉદાર થા, તું પ્રેમાળ ને સ્નેહાળ થા. તારી વાણી મીઠી થાય, મોટું હસતું હોય. તમે કહો છો “સાહેબ! આ તો બહુ કઠિન છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy