SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બાપુ! તમે લઈ જાવ, તો બાપુ કહેશે રાખ તારી પાસે. મારે આ કૂચાને કરવા છે શું? તેમાંથી રસ તો નીકળી ગયો છે. તેમ જે જ્ઞાનમાંથી અધ્યાત્મનો રસ નીકળી ગયો છે તે જ્ઞાન કૂચા જેવું છે. જથ્થો કેટલો છે તે મહત્ત્વનું નથી, પણ ક્વૉલિટી કેવી છે તે મહત્ત્વની છે. એક ભાઈ કહેતા હતા કે આખો મોટો વાટકો ભરીને ચા પીવા આપે છે પણ તે તો રેલ્વેની ચા. આખો વાટકો ભરીને આપો તો પણ શું કામની? પરંતુ અર્ધી રકાબી એકલા દૂધની, સારી ઈલાયચી નાંખેલી, સુગંધવાળી, કડક, મીઠી ચા આપે તો તે ક્વૉલિટી કહેવાય. ક્વૉલિટી મેઈન્ટેઈન કરો, ક્વૉન્ટીટીની જરૂર નથી, ક્વૉલિટીની જરૂર છે. જે જ્ઞાન તમને બચાવે, જે જ્ઞાન તમને રોકે, તે ક્વૉલિટી. જે જ્ઞાન તમને ક્રોધ કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને અહંકાર કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને માયા કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને લોભ કે ઈર્ષ્યા કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને કામવાસના કે અસંયમમાં જતાં રોકી શકતું નથી, એ જ્ઞાન ગમે તેટલું હોય પણ તેને પરમકૃપાળુ દેવ શુષ્કજ્ઞાન કે અજ્ઞાન કહે છે. અમને તો જેમાં સામર્થ્ય છે તેવું સક્રિય જ્ઞાન જોઈએ. ધાર્મિક જગતના મોટા ભાગના લોકો શુષ્કજ્ઞાનમાં અટવાયા છે. તેમનું કામ તો ફક્ત બોલવાનું છે. આત્મા અજર છે, અમર છે, મરતો નથી, આત્મા ખાતો નથી, પીતો નથી. જગતમાં એકલા આવ્યા છીએ ને એકલાં જવાના છીએ પણ એ મરતાં પહેલાં પોક મૂકે છે, હજુ મર્યો પણ નથી. ભાઈ ! આ જ્ઞાન એટલા માટે નથી. જ્ઞાન તો જીવનની ખુમારી છે. જીવનની મસ્તી છે, જીવનનું સંગીત છે, જીવનની મહેફીલ છે, જીવનની પ્રસન્નતા છે. અબ હમ અમર ભયે ન મરેંગે.' આનંદધનજીને આ મસ્તી ક્યાંથી આવી? આ સ્ટેટમેન્ટ ક્યાંથી આવ્યું? થયું શું? ભાન થયું, સમજ આવી. અમે અમર છીએ, અમે નહીં કરીએ. અમે મરતા નથી અને મોત આવે તો અમને મારી શકતું નથી. કવિ નાનાલાલે નાની કડી કહી કે “મૃત્યુ તો મરી ગયું રે લોલ” અમારા માટે મૃત્યુ મરી ગયું છે અને ટાગોરજી કહે છે કે “અમે મૃત્યુનું સ્વાગત કરીએ છીએ કે દોસ્ત આવ.” શરીરમાં જે તત્ત્વ છે તે હું છું તે કદી પણ મરતું નથી. “દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકગે.” (આનંદધનજી) આ જ્ઞાન મૃત્યુના ભયથી રોકે છે. મૃત્યુનો ભય તો રોગ છે. જ્ઞાન મૃત્યુના ભયથી મુક્ત કરે છે, જ્ઞાન કલેશથી રોકે છે, જગતના વિપરીત સંયોગોથી રોકે છે, જ્ઞાન અનુકૂળ સંયોગો આવે તેમાં અટવાવા ન દે પણ તેનાથી રોકે છે. જ્ઞાન જગતના અનુકૂળ પદાર્થો મળ્યા હોય તેમાં અહંકાર ન આવવા દે, તેનાથી પણ રોકે છે. બાહ્ય પદાર્થો હાથમાંથી ગયા તો પોક મૂકતાં પણ જ્ઞાન રોકે છે. આ કામ જો જ્ઞાન કરી શકતું ન હોય તો એવા જ્ઞાનને શુષ્કજ્ઞાન કહે છે. અંદર વૃત્તિઓ જોર કરતી હોય અને જ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy