SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રવચન ક્રમાંક -૪, ગાથા ક્રમાંક - ૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. (૩) પરમકૃપાળુ દેવ કહે છે કે અમે જગતને જોઈએ છીએ તેમાં અમને બે પાત્રો જોવા મળ્યાં. કોઈક ક્રિયાજડ બન્યા છે અને કોઈક શુષ્કજ્ઞાની બન્યા છે. ક્રિયા કરે છે પણ તેમાં જડતા છે. જ્ઞાન છે પણ શુષ્કતા છે. નદી હોય પણ તેમાં નીર ન હોય તો નદી શોભે નહીં, રાત હોય પણ ચંદ્રમાં ન હોય તો રાત શોભે નહીં, તેમ જ્ઞાન હોય અને વૈરાગ્ય ન હોય, જ્ઞાન હોય ને તપ-ત્યાગ ન હોય, જ્ઞાન હોય ને સત્કર્મ-સક્રિયા ન હોય, જ્ઞાન હોય ને ભક્તિ ન હોય, જ્ઞાન હોયને ધ્યાન ન હોય તો જ્ઞાન શોભે નહિ. એ શુષ્કજ્ઞાન, લુખ્ખું જ્ઞાન. જ્ઞાન શોભે છે વૈરાગ્યથી, જ્ઞાન શોભે છે તપ-ત્યાગથી, જ્ઞાન શોભે છે સત્કર્મથી, જ્ઞાન શોભે છે ભક્તિથી, જ્ઞાન શોભે છે ધ્યાનથી ને જ્ઞાન આનાથી રસમય બને છે. મોટા ભાગે તત્ત્વ જ્ઞાનીઓની વાતો ગંભીર મોઢા કરીને ચાલતી હોય છે. એમના મોં પર હાસ્ય જોવા ન મળે. અરે ! બ્રહ્મની વાતો કરો છો, બ્રહ્મ તો આનંદમય છે. તે શોકમય, વિષાદમય નથી. આત્માની વાત કરો તો આનંદ તો આવે ને? મસ્તી તો આવે ને? ખુમારી ને મઝા તો આવે ને? રસ તો આવે ને? જે જ્ઞાનમાં રસ નથી તે જ્ઞાન કશું કામ ન કરી શકે. શુષ્કજ્ઞાન અસરકારક ન બને. સમયસારમાં કુંદકુંદાચાર્યજી કહે છે કે જે તલવાર કાપી ન શકે તે તલવારને કરવી છે શું? તેમ જે જ્ઞાનમાં સામર્થ્ય નથી, જે જ્ઞાન જીવંત અવસ્થામાં કામમાં ન આવે તે જ્ઞાનને કરવાનું શું? આજે તો થોડું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો અહંકાર પોષ્યા કરે, અમને આત્મસિદ્ધિ કંઠસ્થ છે હોં! અપૂર્વ અવસર મોઢે છે, જ્ઞાનસાર અને અધ્યાત્મસાર પણ કંઠસ્થ છે. કૃપાળુ દેવ કહે છે કે આ તે વાત કરી, પૂરી થઈ ગઈ ને? તો હવે અમારી વાત લક્ષમાં લે. હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. તારું જ્ઞાન તો ખોબા જેટલું છે પણ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પણ તેની ગણતરી અજ્ઞાનીમાં છે. નવપૂર્વોનો અભ્યાસી પણ અજ્ઞાનીના ખાનામાં ગયો. કંઈ કારણ? શુષ્કજ્ઞાન છે માટે. અખાએ તો વાત ઠીક નથી કરી પણ કહ્યું કે, “ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી” એ ખંખેરીને ઊભો થઈ ગયો. એક વાત તો રહી ગઈ. જ્ઞાન ખરું પણ જે જ્ઞાન તપ વગરનું છે, જે જ્ઞાન ત્યાગ વગરનું છે, જે જ્ઞાન વૈરાગ્ય વગરનું છે, પ્રેમ વગરનું છે, સમજણ વગરનું છે, જે જ્ઞાન ભક્તિ વગરનું છે, જે જ્ઞાન ધ્યાન વગરનું છે, તે શુષ્કજ્ઞાન. શેરડીમાંથી રસ કાઢ્યા પછી એના કૂચાનો મોટો ઢગલો પડ્યો હોય અને કોઈ આવીને કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy